ગોવિંદાએ પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં કરી પૂજા-અર્ચના
ધાર્મિક વિધિમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને ભાગ લીધો હતો
ગઈ કાલે સોનુ સૂદે પત્ની સોનાલી અને પુત્ર ઇશાંત સાથે તિરુમાલા વેન્કટેશ્વર મંદિરમાં દર્શન કર્યાં હતાં. તે સંપૂર્ણ રીતે દક્ષિણ ભારતીય વેશભૂષા અને સંસ્કૃતિમાં જોવા મળ્યો હતો. તેણે અહીં ધાર્મિક વિધિમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને ભાગ લીધો હતો.
ગોવિંદાએ પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં કરી પૂજા-અર્ચના
ADVERTISEMENT

ગોવિંદાએ મંગળવારે ઓડિશાના પુરીમાં આવેલા વિખ્યાત શ્રી જગન્નાથ મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી હતી. આ દરમ્યાન તેણે ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તે સાદા લાલ કુરતા અને સફેદ પાયજામામાં જોવા મળ્યો હતો. મંદિરમાં દર્શન કર્યા બાદ ગોવિંદાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને અહીં આવવાથી ખૂબ આનંદ થાય છે. હું દર એક-બે વર્ષમાં અહીં આવતો રહું છું. આ વખતની યાત્રા માટે ભગવાનનો આભાર માનું છું.’
