Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખને લઈને ફિલ્મ બનાવતાં કેમ ગભરાય છે અનુરાગ કશ્યપ?

શાહરુખને લઈને ફિલ્મ બનાવતાં કેમ ગભરાય છે અનુરાગ કશ્યપ?

06 June, 2024 11:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનું કારણ એ છે કે તેનામાં શાહરુખની ઑરા પ્રમાણે કામ કરવાની ક્ષમતા નથી

શાહરુખ ખાન

શાહરુખ ખાન


ફિલ્મમેકર અનુરાગ કશ્યપને શાહરુખ ખાનને લઈને ફિલ્મ બનાવવાનો ડર લાગે છે. એનું કારણ એ છે કે તેનામાં શાહરુખની ઑરા પ્રમાણે કામ કરવાની ક્ષમતા નથી. સાથે જ ઍક્ટર્સને એક જ પ્રકારની ભૂમિકામાં બાંધી રાખવાનો દોષ તેણે સોશ્યલ મીડિયા પર ઠાલવ્યો હતો. તેનું કહેવું છે કે શાહરુખ તેની કરીઅરની શરૂઆતમાં બધા સાથે કામ કરતો હતો, પરંતુ હવે તેના સ્ટારડમને જોતાં તેની સાથે કામ કરવું અનુરાગને અશક્ય લાગે છે. શાહરુખ વિશે અનુરાગ કહે છે, ‘સોશ્યલ મીડિયાના યુગમાં હું સ્ટાર્સના ફૅનબેઝને લઈને ગભરાઈ જાઉં છું. ફૅન્સને કારણે ઍક્ટર્સ ટાઇપકાસ્ટ બની જાય છે. ફૅન્સ ચાહે છે કે તેમના ફેવરિટ ઍક્ટર્સ એક જ પ્રકારના રોલ સતત કરતા રહે. જો આવું ન થાય તો ફૅન્સ તેમને રિજેક્ટ કરી દે છે. એથી ઍક્ટર્સ પણ નવી વસ્તુ કરતાં ડરે છે. એટલે શાહરુખની ઑરા પ્રમાણે કામ કરવાની ક્ષમતા મારામાં નથી. જો તેની ફિલ્મ ‘ફૅન’ ચાલી હોત તો હું કહી શકું કે મારામાં તેની સાથે કામ કરવાની હિંમત છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2024 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK