Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર : ધ રિવેન્જમાં જોવા મળશે યાલિના જમાલીની અસલી તાકાત

ધુરંધર : ધ રિવેન્જમાં જોવા મળશે યાલિના જમાલીની અસલી તાકાત

Published : 21 January, 2026 10:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સારા અર્જુને સીક્વલના તેના રોલનો ખુલાસો કર્યો

સારા અર્જુન

સારા અર્જુન


‘ધુરંધર’ પછી હવે એની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની ચર્ચા થવા લાગી છે. આ ફિલ્મ  ૧૯ માર્ચે ઈદના દિવસે રિલીઝ થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા ભાગની સરખામણીમાં સીક્વલમાં પાત્રોની તાકાત વધુ જોરદાર રીતે સામે આવશે. આવી સ્થિતિમાં ફિલ્મમાં યાલિના જમાલીનો રોલ કરનાર લીડ ઍક્ટ્રેસ સારા અર્જુને પણ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં પોતાના પાત્રનો ખુલાસો કર્યો છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં સારા અર્જુને કહ્યું છે કે ‘ફિલ્મના બીજા ભાગમાં તમને યાલિનાની અસલી તાકાત જોવા મળશે. મારા પાત્રનો સાચો સાર તો બીજા ભાગમાં જ છે. યાલિના એવી યુવતી છે જે દિલથી વિચારે છે, પોતાની લાગણીઓ સાથે આગળ વધે છે અને પોતાના નિર્ણયોમાં સ્પષ્ટ રહે છે. જોકે ‘ધુરંધર : ધ રિવેન્જ’માં ફિલ્મની વાર્તાની સાથે-સાથે યાલિનાના નિર્ણય અને સંઘર્ષની ઊંડાઈને પણ દર્શાવવામાં આવશે જે દર્શકો માટે એક ખાસ અનુભવ સાબિત થશે.’

સારા અર્જુન ખૂબ નાની ઉંમરથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે પરંતુ ‘ધુરંધર’થી તેણે વીસ વર્ષની ઉંમરે લીડ ઍક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું. ફિલ્મમાં તેનો રોલ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK