બાળકોના ફોટો વાઇરલ થાય એ નથી પસંદ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આયુષમાન ખુરાના અને તાહિરા કશ્યપને એક દીકરો અને એક દીકરી છે. તેમનાં નામ વિરાજવીર અને વરુષ્કા છે. આયુષમાનની ઇચ્છા છે કે તે તેનાં બાળકોને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ઝાકઝમાળથી દૂર રાખવા માગે છે અને તેમનો સાધારણ ઉછેર કરવા માગે છે. આ જ કારણ છે કે તે પાપારાઝીને બાળકોના ફોટો પણ ક્લિક નથી કરવા દેતો. એ વિશે આયુષમાન કહે છે, ‘મને ફૅન્સ સાથે ફોટો ક્લિક કરવા ગમે છે, પરંતુ હું નથી ચાહતો કે મારાં બાળકોના ફોટો વાઇરલ થાય. મારાં બાળકોને હું એક સાધારણ લાઇફ-સ્ટાઇલ આપવા માગું છું અને ઇન્ડસ્ટ્રીની ચમક-દમકથી દૂર રાખવા માગું છું. મારો પ્રયાસ એ રહે છે કે જેમ બને એમ હું તેમને નૉન-સેલેબ લાઇફ આપું. મારું એવું માનવું છે કે તેમની રહેણીકરણી સ્વસ્થ અને સામાન્ય હોય.’

