Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય ખન્નાએ દૃશ્યમ 3માં કામ કરવાની ના પાડી દીધી?

અક્ષય ખન્નાએ દૃશ્યમ 3માં કામ કરવાની ના પાડી દીધી?

Published : 25 December, 2025 11:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટરે ફીમાં વધારો અને ઑન-સ્ક્રીન લુકમાં ફેરફાર જેવી શરતો મૂકતાં વિવાદ થયો

અક્ષય ખન્ના

અક્ષય ખન્ના


અક્ષય ખન્નાની લેટેસ્ટ ફિલ્મ ‘ધુરંધર’ને જબરદસ્ત સફળતા મળી છે. આ ફિલ્મમાં તેણે ભજવેલું રહમાન ડકૈતનું પાત્ર છવાઈ ગયું છે. હવે આ સફળતાની ચર્ચા વચ્ચે સમાચાર આવ્યા છે કે તેણે પોતાની આગામી ફિલ્મ ‘દૃશ્યમ 3’માં કામ કરવાની ના પાડી દીધી છે. હકીકતમાં અક્ષય ‘દૃશ્યમ 3’ના શૂટિંગ માટે સંપૂર્ણપણે તૈયાર હતો ત્યારે આ સમાચાર આવતાં બધાને ભારે આંચકો લાગ્યો છે.

રિપોર્ટ પ્રમાણે અક્ષયે ફી અને ક્રીએટિવ મતભેદોને કારણે ‘દૃશ્યમ 3’માં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે ‘ધુરંધર’ની જબરદસ્ત સફળતા બાદ અક્ષયે ‘દૃશ્યમ 3’માં કામ કરવા માટે ફીમાં વધારો માગ્યો અને એ સિવાય ફિલ્મના પોતાના ઑન-સ્ક્રીન લુકમાં પણ ફેરફાર કરવાની ડિમાન્ડ કરી હતી. અક્ષયની આ ડિમાન્ડને કારણે તેના અને ફિલ્મના નિર્માતાઓ વચ્ચે મતભેદ ઊભા થતાં અંતે અક્ષયે આ પ્રોજેક્ટ છોડી દેવાનો નિર્ણય કરી લીધો. જોકે હાલમાં બન્ને પક્ષ વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2025 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK