Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગન અને શિલ્પા શેટ્ટી હિન્દી-મરાઠી વિવાદ વિશે શું બોલ્યાં?

અજય દેવગન અને શિલ્પા શેટ્ટી હિન્દી-મરાઠી વિવાદ વિશે શું બોલ્યાં?

Published : 13 July, 2025 07:17 AM | Modified : 14 July, 2025 07:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૫ની ૪ સપ્ટેમ્બરે રિલીઝ થનારી પોતાની પૅન-ઇન્ડિયન ફિલ્મ ‘KD : The Devil’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં શિલ્પા શેટ્ટીએ આ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતાં કહ્યું હતું:

અજય દેવગન અને શિલ્પા શેટ્ટી

અજય દેવગન અને શિલ્પા શેટ્ટી


હાલમાં મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અજય દેવગનને તેની આગામી ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ દરમ્યાન આ મામલે સવાલ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે અજયે તેના પ્રખ્યાત સિંઘમ અંદાજમાં જવાબ આપતાં કહ્યું, આતા માઝી સટકલી. અજયનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો હસી પડ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. આમ અજયે આખી વાતને હળવાશથી વાળી લીધી અને આ સંવેદનશીલ મુદ્દે લાંબી ટિપ્પણી કરવાનું ટાળ્યું.


૨૦૨૫ની ૪ સપ્ટેમ્બરે રિલીઝ થનારી પોતાની પૅન-ઇન્ડિયન ફિલ્મ ‘KD : The Devil’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં શિલ્પા શેટ્ટીએ આ વિવાદ પર ટિપ્પણી કરવાનું ટાળતાં કહ્યું હતું: મલા મરાઠી યેતં, મી મહારાષ્ટ્રાચી મુલગી આહે. આ નિવેદન આપીને શિલ્પાએ પોતાની મરાઠી ઓળખ પર ગર્વ વ્યક્ત કર્યો, પરંતુ વિવાદને વધુ હવા આપી નહીં.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK