કરીઅર અને લાઇફમાં જોખમ લેવા માટે કટિબદ્ધ છે સોભિતા ધુલીપલા
સોભિતા ધુલીપલા
સોભિતા ધુલીપલાનું કહેવું છે કે તે કરીઅરમાં અને લાઇફમાં જોખમ લેવામાં જરા પણ અચકાતી નથી. સોભિતાએ ‘રમન રાઘવ 2.O’થી ઍક્ટિંગમાં પ્રવેશ કર્યો હતો. તેણે ૨૦૧૩માં મિસ અર્થ ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. કરીઅર વિશે જણાવતાં સોભિતાએ કહ્યું હતું કે ‘હું મારી કરીઅર અને લાઇફમાં રિસ્ક લેવા માટે કમિટેડ છું. મને એ વાતનો ડર સતાવે છે કે જો હું કદી નવા પડકાર લેતી વખતે મારો આત્મવિશ્વાસ ગુમાવી દઈશ તો શું થશે. આશા રાખું છું કે આવું કદી પણ ન થાય. હું ધારણા પર જીવવા નથી માગતી. કદાચ આ જ કારણ છે કે પરિવર્તનથી મને કોઈ ફરક નથી પડતો. જોકે નિષ્ક્રિયતા મને ડરાવે છે. બદલાવ જે પ્રકારે થઈ રહ્યા છે એ આપણને ઘણુંબધું શીખવાડે છે. અમને કલાકારો તરીકે અહંકાર, ખ્યાતિ અને સુંદરતા રિસ્ક લેવા માટે વિવશ કરે છે.’