ઇન્ટરવ્યુમાં કહ્યું કે અંદાઝ અપના અપનાનું શૂટિંગ આ બન્ને ઍક્ટ્રેસને કારણે બહુ મુશ્કેલીથી થયું છે
અંદાઝ અપના અપના ફિલ્મનું પોસ્ટર
‘અંદાઝ અપના અપના’ની ગણતરી બૉલીવુડની કલ્ટ ફિલ્મોમાં કરવામાં આવે છે. ૧૯૯૪માં આવેલી આ ફિલ્મને આજે પણ આમિર ખાન અને સલમાન ખાનની જબરદસ્ત કેમિસ્ટ્રી માટે યાદ કરવામાં આવે છે. ડિરેક્ટર રાજકુમાર સંતોષીની આ ફિલ્મની હિરોઇનો રવીના ટંડન અને કરિશ્મા કપૂર પણ હતી, પરંતુ ફિલ્મના નિર્માણ દરમ્યાન રવીના અને કરિશ્મા વચ્ચે ઝઘડો ચાલતો હતો એને કારણે બન્ને એકબીજા સાથે વાત પણ કરતાં નહોતાં.
આ ફિલ્મના ઍક્ટર આમિર ખાને હાલમાં એક ઇન્ટરવ્યુમાં રવીના-કરિશ્માના ઝઘડા અને ‘અંદાઝ અપના અપના’ બનાવવામાં આવેલી મુશ્કેલીઓ વિશે વાત કરીને જણાવ્યું કે આ ફિલ્મ બનાવવાનું ખૂબ જ મુશ્કેલ કામ હતું.
ADVERTISEMENT
ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું, ‘મને ખબર નથી કે આ વાત કહેવી જોઈએ કે નહીં. એ ફિલ્મ વખતે રવીના અને કરિશ્મા વચ્ચે અણબનાવ ચાલતો હતો. હું વિચારતો હતો કે આ ફિલ્મ કેવી રીતે પૂરી થશે. અમે લોકો એકસાથે શૂટ કરી શકતા નહોતા. જોકે મને ફિલ્મમાં ખૂબ વિશ્વાસ હતો. એ ખૂબ જ અજાયબી અને પાગલપનથી ભરેલી ફિલ્મ હતી. એ સમયે સલમાન અને હું ટોચ પર હતા, પરંતુ ફિલ્મ એક અઠવાડિયું પણ ન ચાલી. હું આશ્ચર્યચકિત હતો કારણ કે મને લાગ્યું હતું કે આ એક ઉત્તમ ફિલ્મ છે. હવે મને લાગે છે કે આ હોમ એન્ટરટેઇનમેન્ટમાં નંબર વન ફિલ્મ છે. દરેક પેઢીએ એને જોઈ છે, દરેક પેઢી એને જોવા માગે છે.’

