Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મેજર અતુલ ગજરે બન્યો છે શ્રેયસ તલપડે

મેજર અતુલ ગજરે બન્યો છે શ્રેયસ તલપડે

06 April, 2022 11:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રેયસ તલપડે હવે ‘ધ લાસ્ટ ફ્લાઇટ’માં મેજર અતુલ ગજરે તરીકે જોવા મળશે.

શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે


શ્રેયસ તલપડે હવે ‘ધ લાસ્ટ ફ્લાઇટ’માં મેજર અતુલ ગજરે તરીકે જોવા મળશે. તેની આ વેબ-સિરીઝ નવ એપ્રિલે સ્ટ્રીમ થઈ રહી છે. આ શોમાં તેની સાથે દીપ્તિ લેલે જોવા મળશે. આ એક ઍન્થોલૉજી છે જેને હિન્દી અને મરાઠીમાં રિલીઝ કરવામાં આવશે. આ ઍન્થોલૉજીમાં બૅટલફીલ્ડના જવાનોની સ્ટોરી દેખાડવામાં આવશે. મેજર અતુલ ગજરેએ હજારો નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે પોતાની લાઇફને કુરબાન કરી દીધી હતી જ્યારે તે ફ્લાઇટમાં તેના કો-પાઇલટ કૅપ્ટન ભાનુ પ્રતાપ સાથે હતો. આ વિશે વાત કરતાં શ્રેયસે કહ્યું હતું કે ‘હું ‘ધ લાસ્ટ ફ્લાઇટ’માં મેજર અતુલ ગજરેનું પાત્ર ભજવી રહ્યો છું. આ સિરીઝને તેની લાઇફ પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. આ એક સત્ય ઘટના પર આધારિત પ્રેરણાત્મક સ્ટોરી છે. આ સ્ટોરીમાં તેમના પ્રેમ, બલિદાન અને સ્ટ્રગલની વાત કરવામાં આવી છે. દીપકજી અને સમગ્ર ક્રૂ સાથે સેટ પર કામ કરવાની ખૂબ જ મજા આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2022 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK