આવી હકારાત્મક ફિલોસૉફી જીવનમાં અપનાવો એ પછી પણ હાસ્યાસ્પદ અનુભવ અને નકારાત્મક પ્રત્યાઘાત જોવા પડે ત્યારે કેવી વલે થાય એ મારાથી વધારે સારું બીજું કોઈ કહી ન શકે
લાફ લાઇન
સાંઈરામ દવે
હયાતીનો દાખલો મોટા ભાગે પેન્શન વખતે ફરજિયાત હોય છે. તમે જીવો છો એ ઑન-પેપર સાબિત કરવું પડે ત્યારે તે વ્યક્તિએ સમજી જવું જોઈએ કે તમે જીવતા નથી. અધ્યાત્મની સમજ પ્રમાણે તો આપણે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છીએ, પરંતુ ઍરપોર્ટ પર આપણે ઉપરોક્ત શબ્દો કોઈને કહીએ તો એ ‘સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ’નું પણ આધાર કાર્ડ માગે અને જો એવું બને તો-તો સંસ્થા ગોટે ચડે અને સંસ્થાએ ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપ લઈને ચાલતી પકડવી પડે.