તામિલનાડુ અને બાકીનું દક્ષિણ ભારત પરંપરાગત રીતે BJPની છાપ ધરાવતા ધર્મસંચાલિત રાજકારણથી મુક્ત રહ્યાં છે. તામિલનાડુની રાજનીતિએ દાયકાઓથી બ્રાહ્મણવિરોધી લાગણીઓને આકાર આપ્યો છે. તામિલનાડુનું રાજકારણ પણ એક હદ સુધી પેરિયાર આંદોલનની આસપાસ ફરતું રહ્યું છે
ક્રૉસલાઇન
તામિલનાડુની એક ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદી.
સળંગ ત્રીજી વાર સત્તામાં વાપસી કરવાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્લોગન ‘અબકી બાર ૪૦૦ પાર’માં આ વખતે તામિલનાડુ અને અન્ય દક્ષિણી રાજ્યો પર વિશેષ ફોકસ છે. દક્ષિણના સાથ વગર ૪૦૦નો સાથ શક્ય નથી અને પાર્ટી દક્ષિણના મતદારોને રીઝવી શકી નથી એ બન્ને હકીકતથી BJP અજાણ પણ નથી. લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૧૯ એપ્રિલે અન્ય રાજ્યો સહિત તામિલનાડુની ૩૯ લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું.