આપણી વચ્ચે હવે ઘર્ષણ નથી, જે હતી ક્યારેક એ અણબન નથી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
છે અને નથી વચ્ચેનો તફાવત માત્ર ભૌતિક જ નહીં, તાત્ત્વિક દૃષ્ટિએ પણ હોય છે. આપણી પાસે જે છે એની અવગણના કરીને આપણી પાસે જે નથી એનાં ગાણાં ગાવાનો સ્વભાવ સાર્વત્રિક જણાય છે. અનેક વિપરીત સંજોગો હોવા છતાં મન મક્કમ રાખીને જિંદગીનું ગીત ગાતા લોકો પ્રત્યે માન થાય. કિશોર બારોટની વાત સાથે સંમત થવાનું મન થશે...



