શૅરબજારની ખરાબ સ્થિતિની મ્યુચ્યુઅલ ફન્ડ સેક્ટર પર અસર
ADVERTISEMENT
શૅરબજારની વર્તમાન સ્થિતિની સીધી અસર મ્યુચ્યુઅલ ફન્ડ્સની નફાશક્તિ પર પડી છે. નફાના માર્જિનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે જો મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીનો જ નફો પૂરતો ન હોય તો રોકાણકારોને વળતર ક્યાંથી મળશે?
અસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના રિપોર્ટ મુજબ ૨૦૧૦-’૧૧માં મોટા ભાગના અગ્રણી મ્યુચ્યુઅલ ફન્ડ્સના કુલ ભંડોળ સામે ચોખ્ખા નફાનું માર્જિન અડધા ટકા કરતાં પણ ઓછું રહ્યું છે.
રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડના કુલ ભંડોળ સામે ચોખ્ખા નફાનું માર્જિન માત્ર ૦.૨૬ ટકા, એચડીએફસી મ્યુચ્યુઅલ ફન્ડ (એમએફ)નું ૦.૨૮ ટકા, બિરલા સનલાઇફનું ૦.૧૩ ટકા, એસબીઆઇ એમએફનું ૦.૧૯ ટકા, પ્રુડેન્શિયલ આઇસીઆઇસીઆઇનું ૦.૧૦ ટકા, કોટક એમએફનું ૦.૦૩ ટકા, ડીએસપી બ્લૅકરૉક એમએફનું ૦.૧૫ ટકા અને તાતા મ્યુચ્યુઅલ ફન્ડનું માર્જિન ૦.૦૭ ટકા રહ્યું છે.