સરકારે રિટ્રોસ્પેક્ટિવ ટૅક્સેશન (જૂની તારીખથી લાગુ થતા કરવેરા)ના નિયમમાં ફેરફાર કર્યો તેનો લાભ લેવા માટે ૧૪ કંપનીઓએ સરકાર સાથે પોતાના કેસની પતાવટ કરવા માટે સંપર્ક કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
સરકારે રિટ્રોસ્પેક્ટિવ ટૅક્સેશન (જૂની તારીખથી લાગુ થતા કરવેરા)ના નિયમમાં ફેરફાર કર્યો તેનો લાભ લેવા માટે ૧૪ કંપનીઓએ સરકાર સાથે પોતાના કેસની પતાવટ કરવા માટે સંપર્ક કર્યો છે. આ માહિતી મહેસૂલ સચિવ તરુણ બજાજે સોમવારે આપી હતી.
ભારતીય ઍસેટ્સના પરોક્ષ ટ્રાન્સફર પર જૂની તારીખથી લાગુ કરાયેલો કરવેરાનો કાયદો રદ કરવા માટે સરકારે ગત ઑગસ્ટમાં જાહેરાત કરી હતી.