Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નેપાળની ચાને દાર્જિલિંગની ચા તરીકે ખપાવવા સામે ટી બોર્ડની ચેતવણી

નેપાળની ચાને દાર્જિલિંગની ચા તરીકે ખપાવવા સામે ટી બોર્ડની ચેતવણી

01 December, 2021 03:54 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની ઉચ્ચ ગુણવત્તાની પ્રખ્યાત ચા સાથે સસ્તી વિદેશી ચાની ભૂકીનું મિશ્રણ નહીં કરવાનો ટી બોર્ડે તમામ નોંધણીકૃત આયાતકારોને આદેશ આપ્યો છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતની ઉચ્ચ ગુણવત્તાની પ્રખ્યાત ચા સાથે સસ્તી વિદેશી ચાની ભૂકીનું મિશ્રણ નહીં કરવાનો ટી બોર્ડે તમામ નોંધણીકૃત આયાતકારોને આદેશ આપ્યો છે. 
બોર્ડના ઉપાધ્યક્ષ કે. એન. રાઘવને કહ્યું છે કે આદેશનું પાલન નહીં કરનાર સામે પગલાં ભરવામાં આવશે. એમનું લાઇસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી પણ થઈ શકે છે. અન્ય એક આદેશમાં બોર્ડે કહ્યું છે કે કોઈ ડિસ્ટ્રિબ્યુટર આયાતી ચાની ભૂકીનું વેચાણ કરવાનો બિઝનેસ નહીં કરી શકે અને કોઈ પણ નિકાસકાર બોર્ડના લાઇસન્સ સિવાયની ચાની નિકાસ નહીં કરી શકે. બોર્ડનું કહેવું છે કે હલકી ગુણવત્તાની ચાની ભૂકીની આયાત કરીને ભારતીય બજારમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે સ્થાનિક ગ્રાહકોના આરોગ્યને નુકસાન થઈ શકે છે. ઇન્ડિયા ટી અસોસિએશને આ બાબતે વાણિજ્ય મંત્રાલયને જાણ કરી છે કે સસ્તી નેપાળી ચાને દાર્જિલિંગની ચા તરીકે ખપાવવાનું ચલણ ચાલ્યું છે. અહીં જણાવવું રહ્યું કે ટી બોર્ડ નેપાળથી ચાની ભૂકી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવા તૈયાર નથી.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2021 03:54 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK