Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્ક એપ્રિલમાં વ્યાજદર સ્થિર રાખશે એવી એસબીઆઇ રિસર્ચની આગાહી

રિઝર્વ બૅન્ક એપ્રિલમાં વ્યાજદર સ્થિર રાખશે એવી એસબીઆઇ રિસર્ચની આગાહી

29 March, 2023 04:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિઝર્વ બૅન્કની આગામી પૉલિસી એપ્રિલની શરૂઆતમાં યોજાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વ્યાજદર વધારામાં હવે બ્રેક લાગે એવી ધારણા છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તેમના બેન્ચમાર્ક વ્યાજદરમાં વધારો અટકાવે એવી અપેક્ષા છે અને વર્તમાન ૬.૫ ટકા રેપો રેટ હવે એ માટેનો ટર્મિનલ રેટ હોઈ શકે છે, એમ એસબીઆઇ રિસર્ચે એના તાજેતરના ઇકોરેપ રિપોર્ટમાં જણાવ્યું હતું.

રેપો રેટ એ વ્યાજદર છે જેના પર આરબીઆઇ તમામ કમર્શિયલ બૅન્કોને નાણાં ઉછીનાં આપે છે. આગામી નાણાકીય નીતિની બેઠક એપ્રિલ ૨૦૨૩ના પ્રથમ સપ્તાહમાં યોજાવાની છે.



ફેબ્રુઆરીની શરૂઆતમાં આરબીઆઇની તાજેતરની મૉનેટરી પૉલિસી કમિટીએ ફુગાવાની અપેક્ષાઓને નિયંત્રિત રાખવા, કોર ફુગાવાના સાતત્યને તોડવા અને મધ્યમ ગાળાને મજબૂત કરવા માટે રેપો રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટ્સ વધારીને ૬.૫ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. ૨૦૨૦ની શરૂઆતમાં કોરોનાએ વિશ્વને ભરડામાં લીધું હતું ત્યારે રેપો રેટનો દર ચાર ટકા હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK