Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સે વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો

એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સે વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો

23 August, 2022 04:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વ્યાજદરનો વધારો બજારની સ્થિતિને અનુરૂપ : વિશ્વનાથ ગૌડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડે પૉલિસી રેપો રેટમાં વધારો કરવાના ભારતીય રિઝર્વ બૅન્કના તાજેતરના નિર્ણયને પગલે ધિરાણ દરમાં ૦.૫૦ ટકાના વધારાની જાહેરાત કરી હતી. મુખ્ય બેન્ચમાર્ક દર છે જેની સાથે એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડની લોન પરના વ્યાજનો દર જોડાયેલો છે, જે હોમ લોનના નવા વ્યાજદર વધીને આઠ ટકા થયા છે જે અગાઉ ૭.૫૦ ટકાથી શરૂ થતા હતા. 

એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વાય. વિશ્વનાથ ગૌડે જણાવ્યું હતું કે ‘અપેક્ષિત તરીકે પાંચમી ઑગસ્ટે રેપો રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરવાનો આરબીઆઇનો નિર્ણય ધારણા મુજબનો જ આવ્યો હતો. રેપો રેટમાં વધારાને કારણે હોમ લોન પરના કાર્યકાળમાં થોડી લઘુતમ વધ-ઘટ થઈ છે, પરંતુ હાઉસિંગની માગ મજબૂત રહેશે. આથી વ્યાજદરમાં વધારો બજારની સ્થિતિને અનુરૂપ છે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2022 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK