લૉકડાઉને આપણને ફૅમિલીને કેવી રીતે પ્રેમ આપી શકીએ એ શીખવ્યું: સુરેશ રૈના
સુરેશ રૈનાનું કહેવું છે કે લૉકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસ વધી રહ્યા છે, પરંતુ ખરેખર આપણે એના પર ફોકસ કરવું જોઈએ કે આપણે ફૅમિલીને કેવી-કેવી રીતે પ્રેમ કરી શકીએ. આ વિશે વધુ જણાવતાં સુરેશ રૈનાએ કહ્યું હતું કે ‘લૉકડાઉને આપણને શીખવાડ્યું કે આપણે ફૅમિલીને કેવી-કેવી રીતે પ્રેમ કરી શકીએ છીએ. દુનિયાભરમાં ઘરેલુ હિંસા અને બાળકો પર કરવામાં આવી રહેલા અત્યાચારના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. આમાંથી જે પણ વ્યક્તિ પસાર થઈ રહી છે તેમને હું વિનંતી કરું છું કે તમે મદદ માગો અને ચૂપ રહેવાનું ટાળો.’