તું ઘણો જ સ્ટ્રૉન્ગ છે અને આ કપરી પરિસ્થિતિનો નીડરતાથી સામનો કરીશ
યુુવરાજ સિંંહ
બૉલીવુડના ઍક્ટર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લન્ગ કૅન્સર થયું હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. આ સમાચાર પ્રાપ્ત થયા બાદ અનેક લોકોએ સંજુબાબાને ‘ગેટ વેલ સુન’ના સંદેશ મોકલવા શરૂ કર્યા હતા. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહનો પણ એમાં સમાવેશ થયો હતો. યુવરાજ પોતે પણ કૅન્સરમાંથી પસાર થયો છે. સંજય દત્તને મોટિવેશન આપતાં યુવરાજ સિંહે કહ્યું કે ‘સંજય દત્ત, તું એક ફાઇટર છે અને હંમેશાં ફાઇટર રહ્યો છે. આ દુખાવાને હું જાણુ છું, પણ સાથે-સાથે એ પણ જાણું છું કે આ કપરી પરિસ્થિતિમાંથી તું નીડરતાથી પસાર થઈ જઈશ. તારી રિકવરી ઝડપથી થાય એવી આશા રાખું છું.’