હૉકી ટીમના ૬ ખેલાડીઓ કોરોનામાંથી થયા રિકવર
મનપ્રીત સિંહ
થોડા દિવસ પહેલાં કોરોના પૉઝિટિવ થયેલા હૉકી ટીમના ૬ પ્લેયર્સ મનપ્રીત સિંહ, સુરેન્દ્રકુમાર, જસકરણ સિંહ, વરુણ કુમાર, ક્રિષ્ણા પાઠક અને મનદીપ સિંહને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેઓ હવે કોરોનામાંથી રિકવર થયા છે અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના નૅશનલ સેન્ટર ઑફ એક્સલન્સ બૅન્ગલોરમાં તેમને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. એસએસ સ્પર્શ મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલના અરુણ કુમારે કહ્યું કે ‘છએછ પ્લેયર સંપૂર્ણપણે કોરોનામાંથી રિકવર થઈ ગયા છે. તેમનાં વાઇટલ પૅરામીટર્સ હવે સ્ટેબલ છે. એ લોકો હવે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા બૅન્ગલોર સેન્ટરમાં ક્વૉરન્ટીન થશે અને ૧૦ દિવસ બાદ તેમનું ફરીથી ચેકઅપ કરવામાં આવશે.’
આ ૬ પ્લેયરોને હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવશે અને અન્ય પ્લેયરોને તેમની પાસે જવાની પરવાનગી આપવામાં નહીં આવે. આ ૬ પ્લેયર્સને બાદ કરતાં હૉકી ટીમના પુરુષ અને મહિલા પ્લેયર્સ આજથી પોતાની ઍક્ટિવિટી શરૂ કરશે.