યુવા ખેલાડીઓએ મારી ભૂલને રિપીટ ન કરવી જોઈએ : કોહલી
વિરાટ કોહલી
વિરાટ કોહલીનું કહેવું છે કે તેણે કરેલી ભૂલમાંથી યુવાન ખેલાડીઓએ શીખવું જોઈએ. ભારતીય ટીમ નજીકના સમયમાં વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે , ટી૨૦ અને ટેસ્ટ મૅચોની સિરીઝ શરૂ કરવાની છે. આ પહેલાં એક પ્રેસ કૉન્ફરન્સમાં હાજરી આપતાં ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીએ ડ્રેસિંગ રૂમની થોડી ઘણી વાતચીત કરી હતી. આ વિશે વધુ જણાવતાં યુવાન ખેલીડીઓને મૅસેજ આપતાં કોહલીએ કહ્યું હતું કે ‘ડ્રેસિંગ રૂમમાં કોઈને ધમકાવવાનું કલ્ચર હવે નથી રહ્યું. હું જેવો ફ્રેન્ડલી કુલદીપ યાદવ સાથે છું એવો જ ફ્રેન્ડલી ધોની સાથે પણ છું. ત્યાનું વાતાવરણ એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈને કંઈ પણ કહી શકે છે. બીજી બાજુ હું લોકોને પ્રોત્સાહિત કરવામાં માનું છું.
આ પણ વાંચો : ધોનીની સાથે 7 નંબરની જર્સી થશે રિટાયર, BCCI આ અંગે લઇ શકે છે નિર્ણય
ADVERTISEMENT
મારું માનવું છે કે દરેક પ્લેયરને પોતાની વાત કહેવાનો સંપૂર્ણપણે અવકાશ મળવો જોઈએ. હું તેમને કહું છું કે મેં આ ભૂલ કરી છે, પરંતુ તમે એની ખાતરી રાખજો કે ભૂલ તમે પણ ન કરો. હું પ્લેયરો સાથે વાત કરું છું ત્યારે તેમને કહ્યું છું કે તમારા માટે આ સારું છે અને આ સારું નથી. હું નથી ઇચ્છતો કે તમે તમારી લાઇફનાં બે-ત્રણ વર્ષ બરબાદ કરો. તમે જે પ્રમાણે રમ્યા છો એનાથી વધારે તમારે રમવાનું છે. હું મારી ભૂલ અને નિષ્ફળતામાંથી ઘણું શીખ્યો છું. મારી સૌથી મોટી નિષ્ફળતાએ મને મોટિવેટ કર્યો છે અને એક માણસ તરીકે મારામાં ઘણો સુધારો કર્યો છે જેના કારણે હું મારી સફળતા કરતાં મારા એ સમયને વધારે મહત્વ આપી શક્યો છું.’