એનસીએના વિકાસ માટે કોહલી ઉત્સાહી
કલકત્તા : (આઇ.એ.એન.એસ.) નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)ના વિકાસ માટે થોડા દિવસ અગાઉ સૌરવ ગાંગુલીએ રાહુલ દ્રવિડની બૅન્ગલોરમાં મુલાકાત લીધી હતી. એનસીએને એક સેન્ટર ઑફ એક્સલન્સ બનાવવા માટે આ બન્ને ભૂતપૂર્વ પ્લેયરોએ લગભગ બે કલાક મીટિંગ કરી હતી. એનસીએના વિકાસ માટે ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલી પણ ઘણો ઉત્સાહી છે.
સૌરવ ગાંગુલીએ પોતે આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કોહલી એનસીએના વિકાસ માટે ઘણો ઉત્સાહી છે અને અમારાથી બનતા દરેક પ્રયાસ અમે કરી રહ્યા છીએ.
એનસીએમાં રાહુલ દ્રવિડ ઉપરાંત રવિ શાસ્ત્રી, ઇન્ડિયા અન્ડર-૧૯ અને ઇન્ડિયા-એ ટીમના કોચ પારસ મહામ્બ્રે જેવા અનેક લોકો હોવાથી એનસીએનો વિકાસ સારી રીતે કરી શકાશે.