શિખર ધવને કહ્યું કે કાશ્મીર અમારું હતું, અમારું છે અને અમારું જ રહેશે
શિખર ધવન
ઇન્ડિયન ઓપનર શિખર ધવનનું કહેવું છે કે કાશ્મીર કોઈ દિવસ પાકિસ્તાનને નથી મળવાનું. શાહિદ આફ્રિદીએ કાશ્મીર અને નરેન્દ્ર મોદી વિશે કરેલી કમેન્ટને લઈને દરેક ક્રિકેટર ભડકી ઊઠ્યા છે. આ વિશે શિખર ધવને કહ્યું હતું કે ‘આ સમયે જ્યારે સમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી છે ત્યારે પણ તમને કાશ્મીરની પડી છે. કાશ્મીર અમારું હતું, અમારું છે અને અમારું જ રહેશે. જોઈએ તો તમારા બાવીસ કરોડને લઈ આવ, અમારો એક માણસ સવા લાખ બરાબર છે. બાકીની ગણતરી તું પોતે કરી લેજે.’