ભારત સામે જીતવા માટે કોહલીને શાંત રાખવો જરૂરી : પૅટ કમિન્સ
પૅટ કમિન્સ
ઑસ્ટ્રેલિયાના બોલર પૅટ કમિન્સનું માનવું છે કે આગામી સિરીઝમાં કોહલીની વિકેટ મહત્વની છે અને યજમાન ટીમે જીતવા માટે તેને શાંત રાખવો જરૂરી છે. ૨૭ નવેમ્બરથી બન્ને દેશ વચ્ચે વન-ડે સિરીઝ શરૂ થવાની છે.
પૅટ કમિન્સે કહ્યું કે ‘બન્ને ટીમમાં કેટલાક એવા સારા પ્લેયર છે જેમની વિકેટ મોટી ગણાઈ રહી છે. મોટા ભાગે એ ટીમના કપ્તાન જ હોય છે, પછી એ ઇંગ્લૅન્ડનો જો રૂટ હોય કે ન્યુ ઝીલૅન્ડનો કેન વિલિયમસન હોય. તમને એવું જરૂર લાગે કે જો તમે તેમની વિકેટ ઝડપી શક્યા તો લગભગ મૅચ જીતી ગયા. કોહલી મોટો પ્લેયર છે. કૉમેન્ટેટર તેના વિશે સતત વાત કરતા હોય છે માટે હું આશા કરું છું કે અમે તેની વિકેટ લઈને તેને શાંત પાડવામાં સફળ થઈશું.’