ઇશાન્ત શર્માએ પાસ કરી ફિટનેસ ટેસ્ટ : ઇન્ડિયન ટેસ્ટ ટીમમાં કરશે કમબૅક?
ઇશાન્ત શર્મા
ઇશાન્ત શર્માએ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી હોવાની વાત ચાલી રહી છે. ન્યુ ઝીલૅન્ડ ટૂરની શરૂઆતમાં જ ઇશાન્ત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો, જેને લીધે તે ટીમમાં સ્થાન પામી શક્યો નહોતો. જોકે એમ છતાં તે ન્યુ ઝીલૅન્ડ ટૂર પર ગયેલી ઇન્ડિયન ટીમમાં કમબૅક કરશે કે નહીં એ વિશે હજી પણ પ્રશ્નચિહ્ન છે. ઇશાન્તને રણજી મૅચ દરમ્યાન પગમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેને એનસીએમાં મોકલવામાં આવ્યો હતો. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા છતાં ઇશાન્તને ૬ અઠવાડિયાં સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી તે ટેસ્ટ ટીમમાં કમબૅક કરશે નહીં એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.