શાર્દુલ આઉટ, ફિટ થશે તો ઉમેશ યાદવને સમાવાશે
શાર્દુલ ઠાકુર
અમદાવાદમાં રમાનારી બાકીની બે ટેસ્ટમાં ભારતીય ટીમે તેમની ટીમ જાળવી રાખી છે. ફક્ત શાર્દુલ ઠાકુરને મુંબઈ વતી વિજય હજારે ટ્રોફી રમવા માટે છૂટો કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ જો ફિટ હશે તો ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવશે.
ટેસ્ટ-સિરીઝ બાદ ઇંગ્લૅન્ડ સામે પાંચ ટી૨૦ અને ૩ વન-ડેની સિરીઝ માટે ટીમ ઇન્ડિયા જસપ્રીત બુમરાહને વર્કલોડ મૅનેજમેન્ટ હેઠળ આરામ અપાશે. બુમરાહને બદલે ટીમમાં ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને મેદાનમાં ઉતારશે. ઑક્ટોબરમાં ભારતમાં જ ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો હોવાથી સિલેક્ટરો સૂર્યકુમાર યાદવ અને સંજુ સૅમસન જેવા ખેલાડીઓને આ સિરીઝમાં મોકો આપી શકે છે.