તાજેતરમાં U19 ડેવિસ કપ મૅચમાં પાકિસ્તાન સામે ભારતની જીતનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભારતીય ખેલાડી પાકિસ્તાની ખેલાડીને હાથ મિલાવવાની ઑફર કરી હતી, પરંતુ પાકિસ્તાની ખેલાડીએ આ દરમિયાન અનાદરપૂર્ણ વર્તન કર્યું અને તેને અવગણીને ખભા ઉચક્યા.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર બાદ તણાવ ખૂબ જ વધ્યો છે. આ તણાવ માત્ર બોર્ડર અને આસપાસના વિસ્તારોમાં જ નહીં પણ દરેક ક્ષેત્રે જોવા મળી રહ્યો છે. આ બધી બાબતોમાં ખાસ કરીને રમત ક્ષેત્રમાં પાકિસ્તાન અને ભારતના ખેલાડીઓ વચ્ચે ટશન જોવા મળી રહી છે. ભારત સામે રમતા પાકિસ્તાનને દરેક રમતમાં હારનો સામનો કરવો પડે છે. જોકે યુદ્ધ સાથે રમતના મેદાન પર પણ ધૂળ ચાટતા પાકિસ્તાન તેની અવડચંડાઈ કરવાનું શરૂ જ રાખ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનના ખેલાડીએ મૅચ હારી જતાં ભારતના ખેલાડી સાથે દુર્વ્યવહાર કર્યો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તાજેતરમાં U19 ડેવિસ કપ મૅચમાં પાકિસ્તાન સામે ભારતની જીતનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભારતીય ખેલાડી પાકિસ્તાની ખેલાડીને હાથ મિલાવવાની ઑફર કરી હતી, પરંતુ પાકિસ્તાની ખેલાડીએ આ દરમિયાન અનાદરપૂર્ણ વર્તન કર્યું અને તેને અવગણીને ખભા ઉચક્યા. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શનિવારે કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં એશિયા-ઓશેનિયા જુનિયર ડેવિસ કપ (U-16) ઇવેન્ટમાં, ભારતે 11મા સ્થાન માટે પ્લેઑફ મૅચમાં પાકિસ્તાનને 2-0થી હરાવ્યું. તેમના સિંગલ્સ મૅચોમાં, પ્રકાશ સરન અને તાવિશ પાહવા સીધા સેટમાં જીત્યા, જેનાથી અંતિમ રેન્કિંગમાં ભારતનું સ્થાન મજબૂત થયું.
ADVERTISEMENT
View this post on Instagram
આ મુકાબલાના ત્રણ દિવસ પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક પાકિસ્તાની ખેલાડીએ તેના ભારતીય ખેલાડી સાથે આક્રમક પ્રતિક્રિયા આપી હતી કારણ કે બાદમાં મૅચ પછી હાથ મિલાવવાની ઑફર કરી હતી. આવા વર્તનથી નેટીઝન્સમાં રોષ ફેલાયો છે. લોકો પાક ખેલાડીના આવા વર્તનથી નારાજ છે. વીડિયોમાં સંભળાઈ રહ્યું છે, કે ભારતનો ખેલાડી કહે છે કે હું ફક્ત હાથ મેળવી રહ્યો છું, મને તારા પ્રત્યે કોઈ ગુસ્સો નથી. તે બાદ પાકિસ્તાની ખેલાડી ત્યાંથી ચાલ્યો જાય છે.
પહલગામ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો
કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનના આતંકવાદી જૂથો દ્વારા તાજેતરમાં કરાયેલા કથિત આતંકવાદી હુમલાને કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. સરહદ પર ત્રણ દિવસનો તણાવ પણ સર્જાયો હતો, જેના કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. આ ઘટનાને કારણે BCCI ને IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી અને PCB એ PSLની મૅચ પર પણ આ જ સ્થિતિ લાગુ કરી હતી. ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ નીરજ ચોપરાએ પણ પાકિસ્તાનના અરશદ નદીમ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી હતી અને દાવો કર્યો હતો કે પહલગામ ઘટના પછી તેમની વચ્ચે હવે પહેલા જેવું નહીં રહે.

