Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત-પાકિસ્તાન મૅચની ટિકિટો મળી શકે?

ભારત-પાકિસ્તાન મૅચની ટિકિટો મળી શકે?

Published : 08 October, 2023 09:44 AM | IST | Mumbai
Amit Shah

અમદાવાદમાં રમાયેલી પહેલી મૅચમાં પ્રેક્ષકોની પાંખી હાજરી બાદ સફાળે જાગેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ભારત-પાકિસ્તાન મૅચની અમુક ટિકિટો રિલીઝ કરવાનું વિચારી રહી છે.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

World Cup

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ



ક્રિકેટરસિયાઓ માટે આવનારા સમયમાં એક ખુશ ખબર આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪મી ઑક્ટોબરે અમદાવાદમાં યોજાનારી મૅચની ટિકિટો મળવાના આસાર છે. જોકે આ મૅચની જૂજ ટિકિટો જ ઉપલબ્ધ હોવાથી ક્રિકેટરસિકોએ એ ખરીદવા ઝડપી વલણ અપનાવવું પડશે. 
અમદાવાદમાં રમાયેલી પહેલી મૅચમાં પ્રેક્ષકોની પાંખી હાજરી બાદ સફાળે જાગેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ભારત-પાકિસ્તાન મૅચની અમુક ટિકિટો રિલીઝ કરવાનું વિચારી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી એકાદ-બે દિવસમાં ઑફિશ્યલ ટિકિટિંગ વેબસાઇટ www.bookmyshow.com પર આ ટિકિટનું વેચાણ શરૂ થશે. આ વેબસાઇટ ઉપર તમામ મૅચોની ટિકિટની સામે ‘coming soon’ એવું લખ્યું હોવાથી થોડી ટિકિટ આયોજકો વેચાણમાં મૂકશે એવી આશા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર  ‘ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચની અમુક ટિકિટ વેબસાઇટ પર શુક્રવાર સુધી મળી રહી હતી. પાકિસ્તાન સામેની મૅચમાં પણ અમુક ટિકિટ ઉપલબ્ધ હશે, પણ ક્યારે એ વિશે કોઈ ફોડ પાડવા તૈયાર નથી.’ 


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2023 09:44 AM IST | Mumbai | Amit Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK