Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્દોરની વન-ડેને બદલે ખેલાડીઓ રણજી રમે : જાફર

ઇન્દોરની વન-ડેને બદલે ખેલાડીઓ રણજી રમે : જાફર

23 January, 2023 12:26 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરાટ કોહલી અને લોકેશ રાહુલ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ટેસ્ટ રમ્યા હતા તો રોહિત શર્મા છેલ્લે માર્ચ ૨૦૨૨માં શ્રીલંકા સામે ટેસ્ટ રમ્યો હતો.

વસીમ જાફર

વસીમ જાફર


ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરના મતે આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ટેસ્ટ-મૅચોને ધ્યાનમાં લેતાં ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓએ ન્યુ ઝીલૅન્ડ સામેની મંગળવારની ઇન્દોરમાં રમાનારી મૅચને બદલે રણજી ટ્રોફીના આગલા રાઉન્ડમાં રમવું જોઈએ. ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની સિરીઝમાં ભારતે ૨-૦થી અજય લીડ મેળવી છે એથી આ મૅચ મહત્ત્વની નથી. વળી આજ દિવસથી રણજી ટ્રોફીની લીગ મૅચના ફાઇનલ રાઉન્ડ તૈયાર થાય છે. વિરાટ કોહલી અને લોકેશ રાહુલ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ટેસ્ટ રમ્યા હતા તો રોહિત શર્મા છેલ્લે માર્ચ ૨૦૨૨માં શ્રીલંકા સામે ટેસ્ટ રમ્યો હતો. ચેતેશ્વર પુજારા અને જયદેવ ઉનડકટ હાલ સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમી રહ્યા છે. જાફરે કહ્યું હતું કે જો તમે રણજીની એક અથવા બે ઇનિંગ્સ રમશો તો એ ચોક્કસ મદદગાર સાબિત થાય, પછી ભલે તમે ગમે એટલા અનુભવી કેમ ન હો. વર્લ્ડ ટેસ્ટ ચૅ​​મ્પિયનશિપ માટે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ ઘણી મહત્ત્વની છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2023 12:26 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK