Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL જીત્યા બાદ ટેસ્ટ-ટીમનું નેતૃત્વ કરશે તો શુભમન ગિલનું ડ્રેસિંગ રૂમમાં માન વધશે: સુરેશ રૈના

IPL જીત્યા બાદ ટેસ્ટ-ટીમનું નેતૃત્વ કરશે તો શુભમન ગિલનું ડ્રેસિંગ રૂમમાં માન વધશે: સુરેશ રૈના

Published : 18 May, 2025 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન સુરેશ રૈનાએ ભારતીય ટીમના કૅપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળતાં પહેલાં કૅપ્ટન તરીકે IPL ટ્રોફી જીતવાના મહત્ત્વ વિશે વાત કરી હતી. તે કહે છે, ‘આજકાલ યુવા પ્લેયર્સ ખૂબ જ અલગ રીતે વિચારે છે. ગિલ IPL ટ્રોફી જીતવા માટે પ્રયત્નશીલ છે.

સુરેશ રૈના

સુરેશ રૈના


ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન સુરેશ રૈનાએ ભારતીય ટીમના કૅપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળતાં પહેલાં કૅપ્ટન તરીકે IPL ટ્રોફી જીતવાના મહત્ત્વ વિશે વાત કરી હતી. તે કહે છે, ‘આજકાલ યુવા પ્લેયર્સ ખૂબ જ અલગ રીતે વિચારે છે. શુભમન ગિલ IPL ટ્રોફી જીતવા માટે પ્રયત્નશીલ છે. જો તે IPL જીત્યા પછી ટેસ્ટ-ક્રિકેટમાં ટીમનું નેતૃત્વ કરશે તો તે સારું પ્રદર્શન કરવાની સાથે  ડ્રેસિંગ રૂમમાં પણ ઘણું સન્માન મેળવશે.’

સુરેશ રૈનાએ વધુમાં ઉમેર્યું કે ‘રજત પાટીદાર પણ સારી કૅપ્ટન્સી કરી રહ્યો છે. ભલે તેણે વધારે કૅપ્ટન્સી કરી નથી, પણ તે ખૂબ જ શાંત છે. હવે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટેસ્ટ-ક્રિકેટમાં રહ્યા નથી, તેઓ હરીફ ટીમની આંખોમાં જોઈને તેમના પર પ્રેશર લાવતા હતા. એ ઊર્જા, જુસ્સો અને અભિવ્યક્તિ શુભમન ગિલ અને હાર્દિક પંડ્યામાં પણ દેખાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2025 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK