તામિળનાડુ પ્રીમિયર લીગની કોમેન્ટરી દરમિયાન ક્રિકેટરે આપેલા નિવેદને હોબાળો મચાવ્યો છે
સુરેશ રૈના (તસવીર સૌજન્યઃ એ.એફ.પી.)
ભારતના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) હંમેશા વિવાદોમાં ઘેરાયેલો રહે છે. હવે તેણે વધુ એક વિવાદને આમંત્રણ આપ્યું છે. ક્રિકેટરે આપેલા એક નિવેદનને કારણે સોશ્યલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. તામિળનાડુ પ્રીમિયર લીગ (TNPL)ની પાંચમી સીઝનની શરૂઆતની મેચ માટે કોમેન્ટરી કરવા સુરેશ રૈનાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કોમેન્ટરી દરમિયાન એક સવાલના જવાબમાં તેણે પોતાને બ્રાહ્મણ ગણાવ્યો હતો. તેના જવાબથી યુઝર્સ રોષે ભરાયા છે.
સુરેશ રૈના ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League - IPL)માં તે ચૈન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings - CSK) તરફથી રમે છે. TNPLની મેચમાં કોમેન્ટરી કરતા રૈનાએ કહ્યું હતું કે, તે એક બ્રાહ્મણ છે અને આ જ કારણે તેને ચેન્નઇની સંસ્કૃતિને અપનાવવા માટે કોઈ મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડ્યો. રૈનાનું આ નિવેદન ફેન્સને જરા પણ ગમ્યુ નથી અને સોશ્યલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો હતો.
ADVERTISEMENT
મેચ દરમિયાન એક કોમેન્ટેટરે રૈનાને પુછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી છે. એના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું, મને લાગે છે કે હું પણ બ્રાહ્મણ છું. હું વર્ષ ૨૦૦૪થી ચેન્નઈમાં રમું છું, મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે પણ રમ્યો છું. સુબ્રહ્મણ્યમ બદ્રીનાથ અને એલ. બાલાજી પણ ત્યાં છે. મને ચેન્નઈની સંસ્કૃતિ પસંદ છે. હું ભાગ્યશાળી છું કે હું સીએસકેનો ભાગ છું. તમને જણાવી દઈએ કે, સુરેશ રૈના વર્ષ ૨૦૦૮થી જ આઇપીએલની પ્રથમ સિઝનથી સીએસકે તરફથી રમી રહ્યો છે.
રૈનાનું આ નિવેદન ફેન્સને જરા પણ ગમ્યુ નથી. એક યુઝરે લખ્યું છે કે, ‘સુરેશ રૈના, તમને શરમ આવવી જોઈએ. એવું લાગે છે કે, તમે ઘણા વર્ષોથી ચેન્નઈની ટીમ માટે રમી રહ્યા છો પરંતુ, તમે ચેન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો ક્યારેય અનુભવ કર્યો નથી’.
@ImRaina you should be ashamed yourself.
— Suresh (@suresh010690) July 19, 2021
It seems that you have never experienced real Chennai culture though you have been playing many years for Chennai team. https://t.co/ZICLRr0ZLh
Abhinav Mukund : *Questions about Chennai culture*
— JC (@jc_writes_) July 19, 2021
Raina : Am a Brahmin too! pic.twitter.com/DL27kStnr7
જોકે, રૈનાને આ મુદ્દે પૂર્વ ભારતીય વિકેટકીપર કીર્તિ આઝાદનો ટેકો મળ્યો છે. ટ્રોલર્સને પ્રતિક્રિયા આપતા આઝાદે ટ્વીટ કર્યું કે, ‘હું પણ બ્રાહ્મણ છું, વાંધો શું છે ભાઈ’.
, #मैं_भी_ब्राह्मण हूँ....
— Kirti Azad (@KirtiAzaad) July 21, 2021
आपत्ति कैसी भाई?????
નોંધનીય છે કે, સુરેશ રૈનાએ ભારત તરફથી ૨૨૬ વનડેમાં ૩૫.૩૧ની સરેરાશથી ૫,૬૧૫ રન બનાવ્યા હતા. તેણે ૫ સદી અને ૩૬ અર્ધ સદી ફટકારી હતી. જ્યારે ટી-20માં ૬૬ ઇનિંગ્સમાં ૨૯.૧૮ની સરેરાશથી ૧,૬૦૫ રન બનાવ્યા હતા. તેના નામ પર ટી-20માં સદી પણ છે. તેણે ૧૮ ટેસ્ટ મેચ પણ રમી હતી. જેમાં તેણે સદીની મદદથી ૭૬૮ રન બનાવ્યા હતા.