Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સંજુ સૅમસન રાજસ્થાન રૉયલ્સ છોડવા ઇચ્છે છે એનું કારણ રિયાન પરાગ છે : સુબ્રમણ્યમ બદરીનાથ

સંજુ સૅમસન રાજસ્થાન રૉયલ્સ છોડવા ઇચ્છે છે એનું કારણ રિયાન પરાગ છે : સુબ્રમણ્યમ બદરીનાથ

Published : 13 August, 2025 10:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો તમે રિયાનને કૅપ્ટન્સી માટે પસંદ કરો છો તો તમે સૅમસન જેવા પ્લેયર્સ પાસેથી કેવી રીતે ટીમમાં જળવાઈ રહેવાની અપેક્ષા રાખી શકો?’

સુબ્રમણ્યમ બદરીનાથ

સુબ્રમણ્યમ બદરીનાથ


IPL 2026 પહેલાં સંજુ સૅમસન રાજસ્થાન રૉયલ્સ અને રવિચન્દ્રન અશ્વિન ચેન્નઈ સુપર કિંગ્સ છોડશે એની પ્રબળ સંભાવનાઓ છે. આ બધા વચ્ચે ભૂતપૂર્વ ભારતીય બૅટર સુબ્રમણ્યમ બદરીનાથે મોટી કમેન્ટ કરી છે. તેણે કહ્યું કે ‘સંજુ સૅમસન રાજસ્થાન રૉયલ્સ છોડવા ઇચ્છે છે એનું કારણ રિયાન પરાગ છે. જો તમે રિયાનને કૅપ્ટન્સી માટે પસંદ કરો છો તો તમે સૅમસન જેવા પ્લેયર્સ પાસેથી કેવી રીતે ટીમમાં જળવાઈ રહેવાની અપેક્ષા રાખી શકો?’

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે ૧૦૦થી વધુ મૅચ રમનાર બદરીનાથે કહ્યું કે ‘જો સંજુ સૅમસન CSKમાં આવે છે તો તે એમ. એસ. ધોનીનો પર્ફેક્ટ વિકલ્પ બની શકે છે. સૅમસન એક એવો બૅટ્સમૅન છે જે બૅટિંગ ક્રમમાં ટોચનાં ત્રણ કે ચાર સ્થાનો પર બૅટિંગ કરી શકે છે. તે પ્લેઇંગ ઇલેવનમાં પાંચમા કે છઠ્ઠા નંબર પર ફિટ ન પણ થઈ શકે. પ્લેઇંગ ઇલેવનનાં આ ક્ષેત્રોમાં CSK મજબૂત છે. મોટા ભાગના પ્લેયર્સ કેટલાક નંબર પર રમવા માટે સેટ છે. એથી જો સંજુ સૅમસન આવે તો પણ પ્રશ્ન એ છે કે શું CSK તેને પ્લેઇંગ ઇલેવનમાં ફિટ કરી શકશે?’


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2025 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK