Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોરોનાને મ્હાત આપી ઋષભ પંત જોડાયા ટીમમાં

કોરોનાને મ્હાત આપી ઋષભ પંત જોડાયા ટીમમાં

22 July, 2021 04:01 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત કોરોનાથી સાજા થઈ ગયા બાદ ફરી ટીમમાં જોડાયા છે.

ઋષભ પંત

ઋષભ પંત


ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત કોરોનાથી સાજા થઈ ગયા બાદ ફરી ટીમમાં જોડાયા છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ માટે પંતને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.  તાજેતરમાં  ઋષભ પંત કોરોનાથી્ સંક્રમિત થયા હતા. જેના કારણે તેને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતાં. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ બાદ ટીમ ઈન્ડિયા 20 દિવસના વિરામ પર હતી. ત્યારે પંત આ વાયરસથી પ્રભાવિત થયા હતા. બીસીસીઆઈ દ્વારા પંતની કોરોનાથી રિકવરી અંગેની માહિતી આપવામાં આવી છે. BCCIએ ટ્વિટ કરી આ અંગે પુષ્ટી કરી છે.  




તમને જણાવી દઈએ કે જ્યારે પંત 20 દિવસના વિરામ પર હતા તે દરમિયાન તે ટીમ હોટલ સાથે રહ્યા નહતા. આ દરમિયાન 8 જુલાઈના રોજ લેવામાં આવેલા કોરોના ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  


વાયરસથી સંક્રમિત થયા પછી બીસીસીઆઈની મેડિકલ ટીમ સંપૂર્ણ દેખરેખ હેઠળ હતી. કોરોનાથી સ્વસ્થ થયા પછી બીસીસીઆઈએ પંતને લઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, `આરટી-પીસીઆર પરીક્ષણમાં નકારાત્મક આવ્યા પછી હવે પંત દહરામમાં ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે.`

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2021 04:01 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK