ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત કોરોનાથી સાજા થઈ ગયા બાદ ફરી ટીમમાં જોડાયા છે.
ઋષભ પંત
ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત કોરોનાથી સાજા થઈ ગયા બાદ ફરી ટીમમાં જોડાયા છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ માટે પંતને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ઋષભ પંત કોરોનાથી્ સંક્રમિત થયા હતા. જેના કારણે તેને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતાં.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ બાદ ટીમ ઈન્ડિયા 20 દિવસના વિરામ પર હતી. ત્યારે પંત આ વાયરસથી પ્રભાવિત થયા હતા. બીસીસીઆઈ દ્વારા પંતની કોરોનાથી રિકવરી અંગેની માહિતી આપવામાં આવી છે. BCCIએ ટ્વિટ કરી આ અંગે પુષ્ટી કરી છે.
ADVERTISEMENT
Hello @RishabhPant17, great to have you back ?#TeamIndia pic.twitter.com/aHYcRfhsLy
— BCCI (@BCCI) July 21, 2021
તમને જણાવી દઈએ કે જ્યારે પંત 20 દિવસના વિરામ પર હતા તે દરમિયાન તે ટીમ હોટલ સાથે રહ્યા નહતા. આ દરમિયાન 8 જુલાઈના રોજ લેવામાં આવેલા કોરોના ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વાયરસથી સંક્રમિત થયા પછી બીસીસીઆઈની મેડિકલ ટીમ સંપૂર્ણ દેખરેખ હેઠળ હતી. કોરોનાથી સ્વસ્થ થયા પછી બીસીસીઆઈએ પંતને લઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, `આરટી-પીસીઆર પરીક્ષણમાં નકારાત્મક આવ્યા પછી હવે પંત દહરામમાં ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે.`