ભારતનો ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ કહે છે...
રાહુલ દ્રવિડ
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડે ટેસ્ટ-ક્રિકેટ વિશે મોટું નિવેદન આપ્યું છે. રાહુલ દ્રવિડ કહે છે કે ‘ક્રિકેટર્સે રેડ બૉલ અને વાઇટ બૉલ ક્રિકેટ ફૉર્મેટ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.’
રાહુલ દ્રવિડ આગળ કહે છે કે ‘આપણે બધા ઇચ્છીએ છીએ કે ટેસ્ટ-ક્રિકેટ ટકી રહે અને ખીલે. આપણને વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓની જરૂર છે જે રમતનાં તમામ ફૉર્મેટમાં રમી શકે. વૈભવ IPLમાં વાઇટ બૉલ રમવાનો અને હવે દુલીપ ટ્રોફી જેવી ટુર્નામેન્ટ રમીને રેડ બૉલ ફૉર્મેટ રમવાનો અનુભવી મેળવી રહ્યો છે.’
