Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાબર આઝમના કંગાળ પર્ફોર્મન્સને લીધે વન-ડે રૅન્કિંગ્સમાં રોહિત બન્યો નંબર ટૂ

બાબર આઝમના કંગાળ પર્ફોર્મન્સને લીધે વન-ડે રૅન્કિંગ્સમાં રોહિત બન્યો નંબર ટૂ

Published : 14 August, 2025 09:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ વન-ડે બૅટર્સના રૅન્કિંગ્સમાં ટૉપ ફાઇવમાં ત્રણ ભારતીય ખેલાડીઓ છે અને ટૉપ ૧૫ ખેલાડીઓમાં શ્રેયસ અય્યર (૮મા) અને કે. એલ, રાહુલ (૧૫મા)નો સમાવેશ છે.

રોહિત શર્મા

રોહિત શર્મા


IPL 2025 બાદ કોઈ ઇન્ટરનૅશનલ મૅચમાં રમ્યો ન હોવા છતાં ગઈ કાલે જાહેર થયેલા રૅન્કિંગ્સમાં રોહિત શર્મા વન-ડેમાં ત્રીજા નંબરથી બીજા નંબરે પહોંચી ગયો છે. રોહિત શર્માની ચડતીનું કારણ તેનો કોઈ પર્ફોર્મન્સ નહીં, પણ બાબર આઝમનું કંગાળ ફૉર્મ કારણભૂત છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં નબળા પર્ફોર્મન્સને લીધે બાબર આઝમ બીજા નંબરથી ઊતરીને ત્રીજા નંબરે ધકેલાઈ ગયો છે. પ્રથમ સ્થાને શુભમન ગિલ છે. ગિલના ૭૮૪ અને રોહિતના ૭૫૬ પૉઇન્ટ છે. વિરાટ કોહલી ૭૩૬ પૉઇન્ટ સાથે ચોથા નંબરે છે. આમ વન-ડે બૅટર્સના રૅન્કિંગ્સમાં ટૉપ ફાઇવમાં ત્રણ ભારતીય ખેલાડીઓ છે અને ટૉપ ૧૫ ખેલાડીઓમાં શ્રેયસ અય્યર (૮મા) અને કે. એલ, રાહુલ (૧૫મા)નો સમાવેશ છે.

અહેવાલ પ્રમાણે રોહિત અને વિરાટ કદાચ ઑસ્ટ્રેલિયા સામેની આગામી સિરીઝ બાદ વન-ડેમાંથી સંન્યાસ લઈ લેશે. બન્નેએ T20 અને ટેસ્ટ ક્રિકેટ પહેલાં જ છોડી દીધું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2025 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK