Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > CSK ટીમમાં હિસ્સો ખરીદવાના મામલે ધોની અને માલિકો વચ્ચે મતભેદ?

CSK ટીમમાં હિસ્સો ખરીદવાના મામલે ધોની અને માલિકો વચ્ચે મતભેદ?

Published : 26 August, 2026 03:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેન્નઈ સુપર કિંગ્સ સાથે લાંબા સમયથી જોડાયેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ફ્રૅન્ચાઇઝીમાં ઇક્વિટી હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો હતો. જોકે ધોની અને ટીમમાલિકો વચ્ચે હિસ્સાની ટકાવારીને લઈને સહમતી ન થતાં સોદો નિષ્ફળ ગયો હોવાના અહેવાલ છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની


ચેન્નઈ સુપર કિંગ્સનો ૨૦૦૮થી મુખ્ય ચહેરો રહેલા મહેન્દ્ર સિંહ ધોની વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યા છે. ૪૫ વર્ષનો ધોની ક્રિકેટ કરીઅરના અંતની નજીક હોવાથી તેણે ઇક્વિટી હિસ્સો ખરીદીને ચેન્નઈ સ્થિત આ ફ્રૅન્ચાઇઝી સાથેના પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. 
જોકે ચેન્નઈ સુપર કિંગ્સનું મૅનેજમેન્ટ ધોનીની શરતો સાથે સંમત ન થતાં આ સોદો નિષ્ફળ ગયો હોવાના અહેવાલ છે. ધોની શરૂઆતમાં ફ્રૅન્ચાઇઝીમાં પચીસ ટકા હિસ્સો ખરીદવા માગતો હતો, જ્યારે ટીમના માલિકો ફક્ત ત્રણ ટકા હિસ્સો ઑફર કરવા તૈયાર હતા.
ત્યાર પછીની વાતચીતમાં ધોનીએ ૨૦થી ૧૮ ટકા હિસ્સાને ખરીદવામાં રસ દર્શાવ્યો. જોકે માલિકોએ ૪થી ૫.૫ ટકા હિસ્સો આપવાની અંતિમ ઑફર કરી હતી. હિસ્સા અંગેના મતભેદને કારણે ધોની અને ટીમમાલિકોના સંબંધોમાં તનાવ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK