Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હાર્યા બાદ ન્યુ ઝીલૅન્ડે કેમ કરી કૅપ્ટનની બદલી?

ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ હાર્યા બાદ ન્યુ ઝીલૅન્ડે કેમ કરી કૅપ્ટનની બદલી?

Published : 12 March, 2025 01:33 PM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ન રમી શકનાર મૅટ હેન્રી ચોથી અને પાંચમી મૅચથી ટીમ સાથે જોડાશે.

માઇકલ બ્રેસવેલ

માઇકલ બ્રેસવેલ


૧૬થી ૨૬ માર્ચ વચ્ચે ન્યુ ઝીલૅન્ડ ઘરઆંગણે પાકિસ્તાન સામે પાંચ મૅચની T20 સિરીઝ રમશે. આ સિરીઝ માટે સ્પિન-બોલિંગ ઑલરાઉન્ડર માઇકલ બ્રેસવેલને ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટીમને ફાઇનલ સુધી પહોંચાડનાર નિયમિત વાઇટ-બૉલ કૅપ્ટન મિચલ સૅન્ટનર IPLમાં રમવાનો હોવાથી તેને આરામ આપવામાં આવ્યો છે. રચિન રવીન્દ્ર, ડેવોન કૉન્વે, લૉકી ફર્ગ્યુસન અને ગ્લેન ફિલિપ્સ સહિતના સ્ટાર પ્લેયર્સ પણ IPLને કારણે પાકિસ્તાન સામેની સિરીઝમાં સિલેક્શન માટે ઉપલબ્ધ રહ્યા નહોતા.


આથી ભારતીય મૂળના લેગ-સ્પિનર ​​ઈશ સોઢી સહિતના પ્લેયર્સે ટીમમાં વાપસી કરી છે. ચૅમ્પિયન્સ ટ્રોફી રમનાર છ અન્ય પ્લેયર્સને પણ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ન રમી શકનાર મૅટ હેન્રી ચોથી અને પાંચમી મૅચથી ટીમ સાથે જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2025 01:33 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK