Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રેયસ બન્યો કલકત્તા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન

શ્રેયસ બન્યો કલકત્તા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન

Published : 17 February, 2022 03:11 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સની ટીમ શ્રેયસના સુકાનમાં ફાઇનલમાં પહોંચી હતી

શ્રેયસ ઐયર

IPL 2022

શ્રેયસ ઐયર


કલકત્તા નાઇટ રાઇડર્સે શનિવારે બૅન્ગલોરની હરાજીમાં ૧૨.૨૫ કરોડ રૂપિયામાં ખરીદેલા શ્રેયસ ઐયરને કૅપ્ટન નિયુક્ત કર્યો છે. ૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સની ટીમ શ્રેયસના સુકાનમાં ફાઇનલમાં પહોંચી હતી. આ ઑક્શનમાં ઇયોન મૉર્ગનને કલકત્તા સહિત ૧૦માંથી કોઈ પણ ટીમે નહોતો ખરીદ્યો અને શ્રેયસને તોતિંગ ભાવે ખરીદવામાં આવતાં તેને કૅપ્ટન બનાવવાની અટકળ પાકી થતી ગઈ હતી. હેડ-કોચ બ્રેન્ડન મૅક્લમે કહ્યું હતું કે ‘શ્રેયસનું ટીમમાં આગમન થવાથી હું ખૂબ રોમાંચિત થયો છું અને હવે તો તેને કૅપ્ટન બનાવાયો છે. તે ભારતીય ક્રિકેટના ભાવિ માટે સૌથી વધુ ઉજ્જ્વળ મનાતા ખેલાડીઓમાંનો એક છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2022 03:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK