Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની બંગલાદેશ-ટૂર હવે છેક સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પોસ્ટપોન

ભારતની બંગલાદેશ-ટૂર હવે છેક સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પોસ્ટપોન

Published : 06 July, 2025 12:41 PM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશમાં અશાંતિના માહોલ વચ્ચે સુરક્ષાનાં કારણોસર ભારતની બંગલાદેશ-ટૂર કૅન્સલ કે પોસ્ટપોન થાય એવી શક્યતાઓ પહેલાંથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય અને બંગલાદેશ ક્રિકેટ બોર્ડે આવતા મહિને આયોજિત વાઇટ બૉલ સિરીઝને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. બંગલાદેશમાં અશાંતિના માહોલ વચ્ચે સુરક્ષાનાં કારણોસર ભારતની બંગલાદેશ-ટૂર કૅન્સલ કે પોસ્ટપોન થાય એવી શક્યતાઓ પહેલાંથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.


પહેલાંના શેડ્યુલ અનુસાર ૧૭થી ૩૧ ઑગસ્ટ વચ્ચે ત્રણ-ત્રણ T20 અને વન-ડેની સિરીઝ રમાવાની હતી. હવે છેક સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પોસ્ટપોન થયેલી આ ટૂરની મૅચોની તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ભારતની આગામી વાઇટ-બૉલ સિરીઝ ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2025 12:41 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK