ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝ ૨-૨થી ડ્રૉ ગયા પછી હવે બન્ને દેશો લિમિટેડ ઓવર્સ ફૉર્મેટ તરફ વળી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝ (વર્ષ ૨૦૨૧-’૨૨) ૨-૨થી ડ્રૉ ગયા પછી હવે બન્ને દેશો લિમિટેડ ઓવર્સ ફૉર્મેટ તરફ વળી રહ્યા છે. પહેલાં ત્રણ ટી૨૦ અને પછી ત્રણ વન-ડે મૅચ રમાશે.
આવતી કાલે પહેલી ટી૨૦ ડે-નાઇટ છે જેમાં રોહિત શર્મા કૅપ્ટન્સી સંભાળશે. કોવિડનો તેનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તે ક્વૉરન્ટીન હતો, પરંતુ હવે ફુલ્લી ફિટ થઈને પાછો રમવા આવી ગયો છે. આવતી કાલની મૅચ સાઉધમ્પ્ટનમાં રમાશે. પછીની બે ટી૨૦ બર્મિંગહૅમ તથા નૉટિંગહૅમમાં રમાશે અને એ ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થશે.