ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ વન-ડે અને T20માં ભારતે સારું પ્રદર્શન કર્યું છે, પણ ટેસ્ટ-ક્રિકેટમાં ધારેલી સફળતા નથી મળી.
હરભજન સિંહ
ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરની અસરકારકતા અંગેની ચિંતા વચ્ચે ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે ભારતીય ટીમના વર્કલોડને ઘટાડવા માટે અલગ કોચિંગને સમર્થન આપ્યું છે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ વન-ડે અને T20માં ભારતે સારું પ્રદર્શન કર્યું છે, પણ ટેસ્ટ-ક્રિકેટમાં ધારેલી સફળતા નથી મળી.
હરભજન સિંહે કહ્યું હતું કે ‘મને લાગે છે કે જો દરેક ફૉર્મેટના અલગ કોચના વિચાર પર અમલ કરી શકાય તો એમાં કંઈ ખોટું નથી. તમારી પાસે વિવિધ ફૉર્મેટ માટે અલગ ટીમો અને અલગ પ્લેયર્સ છે. જો આપણે એ કરી શકીએ છીએ તો એ એક સારો વિકલ્પ છે. એ કોચ સહિત બધાનો વર્કલોડને ઘટાડશે, કારણ કે કોચને પણ સિરીઝની તૈયારી માટે સમયની જરૂર હોય છે. કોચ પાસે એક પરિવારની જવાબદારીઓ પણ હોય છે. પરિવાર સાથે સતત મુસાફરી કરવી સરળ નથી. રેડ બૉલ અને વાઇટ બૉલ કોચિંગને અલગ કરવું એ એક સારું પગલું હશે.’


