Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દરેક ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાના અલગ કોચ હોવા જોઈએ એ વિચારને સમર્થન આપ્યું ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે

દરેક ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાના અલગ કોચ હોવા જોઈએ એ વિચારને સમર્થન આપ્યું ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે

Published : 21 July, 2025 09:32 AM | Modified : 22 July, 2025 06:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ વન-ડે અને T20માં ભારતે સારું પ્રદર્શન કર્યું છે, પણ ટેસ્ટ-ક્રિકેટમાં ધારેલી સફળતા નથી મળી.

હરભજન સિંહ

હરભજન સિંહ


ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરની અસરકારકતા અંગેની ચિંતા વચ્ચે ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે ભારતીય ટીમના વર્કલોડને ઘટાડવા માટે અલગ કોચિંગને સમર્થન આપ્યું છે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ વન-ડે અને T20માં ભારતે સારું પ્રદર્શન કર્યું છે, પણ ટેસ્ટ-ક્રિકેટમાં ધારેલી સફળતા નથી મળી.

હરભજન સિંહે કહ્યું હતું કે ‘મને લાગે છે કે જો દરેક ફૉર્મેટના અલગ કોચના વિચાર પર અમલ કરી શકાય તો એમાં કંઈ ખોટું નથી. તમારી પાસે વિવિધ ફૉર્મેટ માટે અલગ ટીમો અને અલગ પ્લેયર્સ છે. જો આપણે એ કરી શકીએ છીએ તો એ એક સારો વિકલ્પ છે. એ કોચ સહિત બધાનો વર્કલોડને ઘટાડશે, કારણ કે કોચને પણ સિરીઝની તૈયારી માટે સમયની જરૂર હોય છે. કોચ પાસે એક પરિવારની જવાબદારીઓ પણ હોય છે. પરિવાર સાથે સતત મુસાફરી કરવી સરળ નથી. રેડ બૉલ અને વાઇટ બૉલ કોચિંગને અલગ કરવું એ એક સારું પગલું હશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK