Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૉમેન્ટેટર તરીકે આનંદ માણી રહ્યો છું, પરંતુ કોચિંગ માટે તૈયાર છું : ચેતેશ્વર

કૉમેન્ટેટર તરીકે આનંદ માણી રહ્યો છું, પરંતુ કોચિંગ માટે તૈયાર છું : ચેતેશ્વર

Published : 29 August, 2025 09:46 AM | Modified : 30 August, 2025 08:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેસ્ટ મૅચોમાં બૅટિંગના પરંપરાગત સ્વરૂપ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘મને હજી પણ લાગે છે કે વર્તમાન યુગમાં પણ પરંપરાગત ટેસ્ટ-પ્લેયર્સ માટે અવકાશ છે

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા


રાજકોટના ભૂતપૂર્વ ભારતીય બૅટર ચેતેશ્વર પુજારાએ પોતાના ભવિષ્ય વિશે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ‘હું ચોક્કસપણે કૉમેન્ટેટર તરીકે આનંદ માણી રહ્યો છું એટલે હું એ ચાલુ રાખીશ. જ્યારે કોચિંગ અથવા સેન્ટર ઑફ એક્સલન્સમાં કોઈ પણ કાર્યની વાત આવે છે ત્યારે હું એના માટે ઓપન છું. હું રમત સાથે સંકળાયેલો રહેવા માગું છું. એથી ભારતીય ક્રિકેટમાં ગમે એ રીતે યોગદાન આપી શકું તો મને એ કરવામાં ખુશી થશે.’ 

ટેસ્ટ મૅચોમાં બૅટિંગના પરંપરાગત સ્વરૂપ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘મને હજી પણ લાગે છે કે વર્તમાન યુગમાં પણ પરંપરાગત ટેસ્ટ-પ્લેયર્સ માટે અવકાશ છે, પરંતુ સમય બદલાઈ ગયો છે, સમય સાથે આગળ વધવું પડશે. હું ચોક્કસપણે કહીશ કે રમતનાં ત્રણેય ફૉર્મેટ રમવાં જોઈએ, કારણ કે હવે આપણે વધુ વાઇટ-બૉલ ક્રિકેટ રમાતી જોઈ રહ્યા છીએ, પરંતુ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે IPL જેવી ટુર્નામેન્ટ સહિત રણજી ટ્રોફીનું મહત્ત્વ પણ એટલું જ છે. અભિમન્યુ ઈશ્વરન અને કરુણ નાયર ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને જ ટીમમાં આવ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2025 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK