પુજારા-જાફર વચ્ચે જંગ જોરદાર
કોણ બનશે કિંગ? : નાગપુરમાં રમાનારી મૅચ પહેલાં ચેતેશ્વર પુજારા અને વસિમ જાફર.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે આજથી નાગપુરમાં શરૂ થનારી રણજી ટ્રોફી ફાઇનલમાં તમામની નજર ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા અને બોલર ઉમેશ યાદવ પર હશે. તો બીજી તરફ વસિમ જાફર પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની બોલબાલાને કાયમ રાખવા માગશે. ચાલીસ વર્ષના જાફરે પોતાના શાનદાર ફૉર્મને કારણે આ ડોમેસ્ટિક સીઝનમાં અત્યાર સુધીમાં ૧૦૦૩ રન બનાવ્યા છે. સૌરાષ્ટ્ર પાસે પુજારા છે તો વિદર્ભ પાસે જાફર છે.
આ પણ વાંચો : T20માં પાકિસ્તાનનો વિજયરથ અટક્યો
ADVERTISEMENT
પુજારાએ કહ્યું હતું કે ‘એવું નથી કે મારા કારણે સૌરાષ્ટ્રને ફાયદો થયો છે. ટીમ પાસે હાર્વિક દેસાઈ અને અર્પિત વસાવડા જેવા પ્રતિભાશાળી ખેલાડી છે. આ રીતે રમતા રહીશું તો અમારી પાસે જીતવાની તક છે.’