Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકા સામેની મૅચમાં બંગલાદેશના ચાર ખેલાડીઓ મેદાન પર ઘાયલ

શ્રીલંકા સામેની મૅચમાં બંગલાદેશના ચાર ખેલાડીઓ મેદાન પર ઘાયલ

19 March, 2024 06:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે સ્ટ્રેચર પર મેદાનની બહાર ગયા, એક હૉસ્પિટલમાં દાખલ

બંગલાદેશના મુસ્તફિઝુર રહમાનને અને જકેર અલીને મેદાનમાંથી સ્ટ્રેચર પર લઈ જવા પડ્યા હતા.

બંગલાદેશના મુસ્તફિઝુર રહમાનને અને જકેર અલીને મેદાનમાંથી સ્ટ્રેચર પર લઈ જવા પડ્યા હતા.


શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં બંગલાદેશના ૪ ખેલાડીઓ ખરાબ રીતે ઈજા પામ્યા છે. ચારમાંથી બે ખેલાડીઓ માત્ર ૩ ઓવરમાં જ ઈજાગ્રસ્ત થયા હતા. લેફ્ટી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ખેંચ આવતાં દર્દ અસહ્ય બન્યું અને તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાયો હતો. અનકૅપ્ડ વિકેટકીપર-બૅટ્સમૅન જેકર અલી કૅચ પકડવાનો પ્રયાસ કરતી વખતે  સાથી-ખેલાડી અનામુલ હક સાથે અથડાયો જેમાં બન્નેને ગંભીર ઈજા થઈ છે. બાઉન્ડરી પર બૉલ રોકવાના ચક્કરમાં સૌમ્ય સરકાર જાહેરાતના બોર્ડ સાથે અથડાયો અને ઘાયલ થયો હતો. બંગલાદેશે ત્રણ મૅચની વન-ડે સિરીઝ ૨-૧થી જીતીને T20 સિરીઝની હારનો બદલો લીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2024 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK