Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાન મુર્દાબાદ, ભારત જિંદાબાદ: અસદુદ્દીન ઓવૈસીએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી

પાકિસ્તાન મુર્દાબાદ, ભારત જિંદાબાદ: અસદુદ્દીન ઓવૈસીએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી

Published : 07 May, 2025 09:37 PM | Modified : 08 May, 2025 07:04 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Operation Sindoor: મહારાષ્ટ્રના પરભણીમાં એક જાહેર સભામાં બોલતા, ઓવૈસીએ પાકિસ્તાનની ભૂમિકાની નિંદા કરી હતી, અને આ હુમલાને ISIS જેવા આતંકવાદી જૂથો દ્વારા દર્શાવવામાં આવેલી બર્બરતા સાથે સરખાવી હતી.

અસદુદ્દીન ઓવૈસીના વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

અસદુદ્દીન ઓવૈસીના વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)


ભારતીય સેના દ્વારા મંગળવાર અને બુધવારની વચ્ચે રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલ કાશ્મીર (PoK) ખાતે સ્થિત આતંકવાદીઓના અડ્ડા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનું નામ ‘ઓપરેશન સિંદૂર’ રાખવામાં આવ્યું હતું જેમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. `ઓપરેશન સિંદૂર`ને લઈને હવે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ તેમના ઑફિશિયલ એક્સ હેન્ડલ પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં ઓવૈસીને ત્રિરંગી પાઘડી પહેરેલા સ્ટેજ પર ઉભા રહીને "પાકિસ્તાન મુર્દાબાદ અને ભારત ઝિંદાબાદ"ના નારા લગાવતા સાંભળી શકાય છે.


પહલગામ હુમલા પછી, AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી સતત પાકિસ્તાન વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, ઓવૈસીએ પાકિસ્તાન પર ઉગ્ર શાબ્દિક પ્રહાર કર્યો હતો. મહારાષ્ટ્રના પરભણીમાં એક જાહેર સભામાં બોલતા, ઓવૈસીએ પાકિસ્તાનની ભૂમિકાની નિંદા કરી હતી, અને આ હુમલાને ISIS જેવા આતંકવાદી જૂથો દ્વારા દર્શાવવામાં આવેલી બર્બરતા સાથે સરખાવી હતી.




ઓવૈસીએ નિર્દોષ નાગરિકો સામે આતંકવાદી કૃત્યોમાં સામેલ થવા છતાં પોતાના પરમાણુ ક્ષમતાઓ વિશે બડાઈ મારવા બદલ પાકિસ્તાનની ટીકા કરી. તેમણે આવા હુમલાઓ પાછળની નૈતિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે ધર્મના આધારે લોકોને નિશાન બનાવવા અને ભારતીય ભૂમિ પર તેમની હત્યા કરવી એ ઉગ્રવાદી સંગઠનોના કૃત્યો સમાન છે. ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી સ્થળો પર મિસાઇલ અને ડ્રૉન હુમલા કર્યા, જેમાં બહાવલપુરનો જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને લશ્કર-એ-તૈયબાનો મુરીદકે બેઝનો સમાવેશ થાય છે. પહેલગામ આતંકવાદી હુમલામાં જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા તેના ના બે અઠવાડિયા પછી બદલો લેવા મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા.


AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પહેલા પણ કહ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલો માનવતાની હત્યા હતી અને મોદી સરકારે આ હુમલા માટે પાકિસ્તાનને કડક જવાબ આપવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે વકફ મારા દેશની અંદરનો મામલો છે. અસદુદ્દીન ઓવૈસીએ ખાસ વાત કરતા કહ્યું કે હું આપણી નરેન્દ્ર મોદી સરકારને કહું છું કે આપણે તેમના ઘરમાં (પાકિસ્તાનમાં) ઘૂસીને ત્યાં બેસી જઈએ. 2019 માં, આપણી પાસે લૉન્ચિંગ પેડ અથવા તે જમીન કબજે કરવાની એક સારી તક હતી જ્યાંથી આતંકવાદીઓ આપણા દેશમાં પ્રવેશ કરે છે. મારું માનવું છે કે આ વખતે જો આપણે તેના ઘરમાં પ્રવેશ કરીશું, તો આપણે ત્યાં જ બેસી રહેવું જોઈએ. પીઓકે સંબંધિત એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે તે ભારતનો એક ભાગ છે અને આ સંસદનો ઠરાવ છે. તે દેશનો અભિન્ન ભાગ છે. આ વાતનો કોઈ નકાર કરી શકે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2025 07:04 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK