રતન તાતાએ લીધેલું પગલું લોકોએ બહુ વખાણ્યું છે, તેમણે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તેઓ 1500 કરોડ રૂપિયાની મદદ કરે છે. ગયા અઠવાડિયે તાતા ગ્રુપનાં ચેરમેન રતન તાતાનાં તાતા ટ્રસ્ટે કોરોના સામેની લડતમાં મેડિકલ પ્રોફેશનલની સુરક્ષા માટે રૂ. 500 કરોડનાં સંસાધનો, મોડ્યુલર ટ્રિટમેન્ટ સવલતો તથા આખા દેશમાં જરૂર પ્રમાણે ટેસ્ટિંગ કિટ્સ માટે અપાશે તેવી જાહેરાત કરી હતી.
વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઇઝેઝ લિમિટેડ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના કોરોનાવાયરસ વિરુદ્ધ દેશમાં જાહેર અભિયાનમાં 1,125 કરોડનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. કંપનીએ બુધવારે આપેલા એક નિવેદનમાં આ બાબતે માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે આ સંક્રમણ સામે લડતાં સ્વાસ્થ્યકર્મીઓની મદદ થશે. કંપનીએ જણાવ્યું કે આમાં વિપ્રો લિમિટેડએ 100 કરોડ રૂપિયા, વિપ્રો એન્ટરપ્રાઇઝેઝએ 25 કરોડ રૂપિયા અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનએ એક હજાર કરોડ રૂપિયાનું યોગદાન કર્યું છે. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની કૉર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર)ના યોગદાન કરતાં જૂદું છે.
દેશના સૌથી ધનાઠ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા પીએમ કૅર ફન્ડમાં 500 કરોડ તેમજ મહારાષ્ટ્ર અને ગુજરાત સીએમ રિલીફ ફંડમાં પાંચ-પાંચ કરોડની સહાય કરી છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ - મુકેશ અંબાણીએ મુંબઇમાં આવેલી સેવન હીલ્સ હૉસ્પિટલમાં પણ 100 નવા બેડની સગવડ કોરોના દરદીઓ માટે ઊભી કરી આપી છે. એટલું જ નહીં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડએ જાહેર કર્યું છે કે તેઓ રોજના 1 લાખ જેટલા ફેસમાસ્ક બનાવશે જેથી નોવેલ કોરોના સામે કાર્યરત લડવૈયાઓને સહાય મળે.
પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા પોતાની બે મહિનાની સેલરી દેશને ડોનેશનમાં આપે છે. આ સાથે જ વિજય શેખર શર્માએ 500 કરોડનું દાન પીએમ કૅર ફન્ડમાં પણ આપ્યું છે.
ભારતીય ટીમના મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે કોરોના વાયરસ સામે લડતા ભારત સાથે ઉભા રહીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને 50 લાખની રકમ દાનમાં આપી છે.
અનિલ અગરવાલે 100 કરોડની મદદની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે દેશ કી જરૂરત કે લિએ, અત્યારે દેશને જરૂર છે ત્યારે આપણે તેની સાથે અડીખમ ઉભા રહેવાનું છે. હું ખાસ તો તેમના માટે ચિંતિત છું જેમને ડેઇલી વેજિસ પ્રાપ્ત થાય છે.
કોરોના વાયરસ સામે લડવા માટે તમામ સંગઠનો અને લોકો સામે આવી રહ્યા છે જે દેશને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારને કોરોના વાયરસ સામે લડવા માટે ડોનેશન આપી રહયા છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ સંધે પ્રધાનમંત્રી રિલીફ ફંડ અને મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 21-21 લાખ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને હાલના વિધેયક લક્ષ્મી રત્ન શુક્લાએ કોરોના વાયરસ વિરુદ્ધ લડવા માટે સરકારને પોતાની વિધેયક પદની ત્રણ મહિનાની સેલરી અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇ પાસેથી મળતી ત્રણ મહિનાની પેન્શન દાન કરી છે. હાલ તેઓ પશ્ચિમ બંગાળના રમત પ્રધાન છે.
21 દિવસના લૉકડાઉનમાં રહેવાથી હજારો મજૂરોએ પોતાનો રોજગાર ગુમાવ્યો છે. તેથી ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એવા લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો છે. પુણેના લોકોની મદદ માટે ધોનીએ એક સંસ્થાને એક લાખ રૂપિયાનું દાન કર્યું છે.
કોવિડ-19નો પ્રસાર અટકાવવા માટે દેશ લૉકડાઉનમાં છે. ત્યારે ફિલ્મ સેલિબ્રિટીઝ આ જંગમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ ભારતા બાહુબલી કલાકાર પ્રભાસે રિલીફ ફંડને 3 કરોડની રકમ અને 50-50 લાખ રૂપિયા આંધ્ર પ્રદેશ અને તેલંગણાના મુખ્યમંત્રી રિલીફ ફંડને દાન કર્યા છે.
શાહરુખ ખાન અને ગૌરી ખાને સાથે મળીને પીએમ-કૅર્સ ફન્ડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફન્ડમાં ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ મુંબઈ, કલકત્તા અને નવી દિલ્હીમાં પણ શાહરુખ મદદ કરવાનો છે એટલુ જ નહીં, શાહરુખ અને ગૌરી ખાન તેમનાં બિઝનેસ પાર્ટનર જુહી ચાવલા મહેતા અને જય મહેતા સાથે મળીને T20 ક્રિકેટ સિરીઝનું આયોજન કરશે. એમાંથી જમા થનાર રકમને તેઓ પીએમ-કૅર્સ ફન્ડમાં ડોનેટ કરશે. સાથે જ આ લૉકડાઉનને કારણે મુંબઈના જે લોકોના જીવનનિર્વાહનો પ્રશ્ન નિર્માણ થયો છે તેમના માટે શાહરુખનું મીર ફાઉન્ડેશન, એક સાથ સંસ્થા સાથે મળીને દરરોજના ભોજનની પણ વ્યવસ્થા કરવાના છે. તેણે ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ ડી. શિવાનંદના રોટી ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે જેથી ડેઇલી વેજિસ મજદૂરોને ભોજનની સાથે જ શાકભાજી અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવે. કોલકતા નાઇટ રાઇડર્સ અને મીર ફાઉન્ડેશન સાથે મળીને વેસ્ટ બેન્ગાલ અને મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને હેલ્થકૅર કર્મચારીઓ માટે ૫૦,૦૦૦ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ બનાવવામાં મદદ કરશે. સાથે જ કોરોના વાઇરસને લઈને લોકોમાં સજાગતા પણ ફેલાવશે. શાહરુખની કોલકતા નાઇટ રાઇડર્સ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ, મીર ફાઉન્ડેશન અને રેડ ચિલીઝVFX સાથે મળીને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરશે. સાથે જ શાહરુખે લોકોને પણ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપવાની અપીલ કરી છે.
જાણીતા કૉમેડિયન કપિલ શર્માએ પીએમ રિલીફ ફંડને આપી 50 લાખની રકમ દાનમાં.
સાઉથના જાણીતા સ્ટાર રામ ચરણ અને 70 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.તો બીજી તરફ કમલ હસને પણ પોતાના ઘરને કોરોના સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલમાં હંગામી ધોરણે બનાવવાની અપીલ કરી છે.
હ્રીતિક રોશને પણ 20 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.
પવન કલ્યાણે પણ કોરોના સામે લડવા માટે 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પવને પીએમ રિલીફ ફંડમાં એક કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશ તેમજ તેલંગણા રિલીફ ફંડમાં 50-50 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું છે.
બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે પણ દરરોજ પગાર મેળવતાં લોકોને મદદ કરવા ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડયુસર ગિલ્ડ ઑફ ઈન્ડિયા માટે દાન કરવાની અપીલ કરી હતી.
ધ્વનિ ભાનુશાલીએ પણ ડેઈલી વેજીસ કામદારોની મદદ માટે ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડયુસર ગિલ્ડ ઑફ ઈન્ડિયાને 55,000 રૂપિયા દાન કર્યા છે.
ભારતીય ક્રિકેટર શિખર ધવને પણ એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે તેની સાથે તેણે અન્ય દેશવાસીઓને પણ અપીલ કરી છે કે તેઓ પોતાનાથી શક્ય મદદ કરે.
મહેશ બાબુએ 1 કરોડના ડોનેશનની જાહેરાત સીએમ આંધ્રપ્રદેશ રિલીફ ફંડમાં સહાય કરી છે.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જણાવ્યું કે આગામી કેટલાક મહિનાની સેલરી તે ફંડ માટે આપશે તેમજ મહિન્દ્રાના રિસોર્ટ્સનો ઉપયોગ મેડિકલ ફેસિલિટી માટે કરવા માટે પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
અનિતા ડોંગેર 15 મિલિયનની રકમ કોરોના સંક્રમિત લોકોની સારવાર માટે ડોનેટ કરે છે.
મનુ કુમાર જૈેનએ દરેક સરકારી હૉસ્પિટલને N95 માસ્ક આપવાનો બેળો ઉઠાવ્યો છે.
વિશ્વ આખું જ્યાં કોરોના વાયરસની ઝપટમાં આવી ગયું છે તેવામાં ભારતીયો એકતાથી આ કોરોના વાયરસની સામે લડી રહ્યા છે. વિશ્વનું અર્થતંત્ર જ્યાં મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે દેશના નામી દિગ્ગજો દેશને આર્થિક સહાય કરવા પોતાનાથી શક્ય મદદ માટે આગળ આવી રહ્યા છે તેમાંથી આ છે કેટલાક નામ...
જુઓ તસવીરો