ભારતની શાશ્વત સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો સૌથી મોટો સંગમ એટલે મહાકુંભ. ફક્ત ભક્તો માટે જ નહીં પરંતુ સંતો, મહાપુરુષો અને ઋષિઓ માટે પણ એક દિવ્ય પ્રસંગ સમાન છે. વર્ષ ૨૦૨૫ના મહાકુંભમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી રચાયેલ પરબ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત શ્રી અક્ષરપુરુષોત્તમ દર્શન પર આધારિત `શ્રી સ્વામિનારાયણ ભાષ્ય`નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગ્રંથ મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીની દિવ્ય કલમમાંથી પ્રસ્ફુટિત થયું છે, જે ભારતીય દર્શન, વેદાંત અને ઉપનિષદોના ગહન રહસ્યોને સમજાવતો એક મહાન ગ્રંથ છે. મહાકુંભ ૨૦૨૫માં આ દિવ્ય ગ્રંથ અને તેના ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
07 February, 2025 09:11 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent