વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય તેલંગાણા પ્રવાસ પર છે. આ દરમિયાન પીએમ મોદી 26 નવેમ્બરની રાત્રે તિરુપતિ પહોંચ્યા હતા. જ્યાં તેમનું રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આજે સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લઈ પૂજા કરી હતી. (તમામ તસવીરો: નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ)
માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતના અનેક રાજ્યોમાં સરસ્વતીધામ-ભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 181 ભવનો લોકાર્પિત થયા છે તો 40 જેટલાં ભવનોનું કાર્ય ચાલી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નાનાં નાનાં બાળકોથી લઈને વડીલો પણ હાજર રહ્યા હતા. રાજેશભાઈ ધામેલિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આ આયોજનની માહિતી આપી હતી.
26 November, 2023 06:47 IST | Uttarakhand | Dharmik Parmar
Tejas Fighter Jet: ફાઈટર પ્લેન તેજસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉડાન ભરી. તેજસ સ્વદેશી લાઈટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ પ્લેન છે જે કોઈપણ ઋતુમાં ઉડાન ભરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૅંગ્લુરુમાં ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી છે. તે શનિવારે (25 નવેમ્બર 2023)ના બેંગ્લુરુમાં હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL)ની ફેસિલિટીના પ્રવાસ પર ગયા હતા. પીએમઓ પ્રમાણે તે તેજસ જેટની મેન્યુફેક્ચરિંગ હબ (વિનિર્માણ)નું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા.
અયોધ્યામાં ગઈ કાલે દિવ્ય અને રામમય માહોલમાં સાતમા દીપોત્સવનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. સરયુ નદીના કિનારે ૫૧ ઘાટ પર ૨૨.૨૩ લાખ દીવડા પ્રગટાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચાયો હતો. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધુ ૬.૪૭ લાખ દીવડા પ્રગટાવાયા હતા. એ દીવડા ૨૫,૦૦૦ સ્વયંસેવકોએ પ્રગટાવ્યા હતા. દીવડાની ગણતરી કરવા માટે આઠ ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રીરામમંદિરના ગર્ભગૃહમાં પહેલો દીવડો પ્રગટાવીને આ દીપોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામના ચરિત્રને રજૂ કરતા ૧૮ શાનદાર ટૅબ્લો ધરાવતા દીપોત્સવ શોભાયાત્રા થઈ હતી. લેઝર શો બાદ ૨૩ મિનિટ સુધી આતશબાજી કરવામાં આવી હતી. અહીં ૮૪ લાખ રૂપિયાની કિંમતના ગ્રીન ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભગવાન શ્રીરામ, સીતામાતા, લક્ષ્મણ ‘પુષ્પક’ વિમાનમાં અયોધ્યામાં પાછાં ફર્યાં હતાં એની ઉજવણી કરવા માટેની શોભાયાત્રા દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ ભગવાન શ્રીરામ, સીતામાતા, લક્ષ્મણનો વેશ ધારણ કરનારા આર્ટિસ્ટ્સને લઈને જતા રથને ખેંચવામાં સામેલ થયાં હતાં. આ આર્ટિસ્ટ્સ પર હેલિકૉપ્ટરમાંથી ફૂલોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો.
દિવાળી પહેલાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની તૈયારી કરવામાં આવી રહી છે. રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટેના સોનાનો ઢોળ ચડાવેલા દરવાજને ઉપાડતી વખતે કામદારો `જય શ્રી રામ` ના નારા લગાવતા જોવા મળ્યા હતા, જ્યાં જાન્યુઆરીમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની સ્થાપન કરવામાં આવશે. તસવીરો: પીટીઆઈ
દિલ્હીની હવાની ગુણવત્તા શુક્રવારે સવારે ‘ગંભીર પ્લસ’ કેટેગરીમાં આવી ગઈ હતી. રાજધાનીમાં તમામ કટોકટીના પગલાં લાગુ ફરજિયાતપણે લાગુ કરવામાં આવ્યા છે. જુઓ તસવીરો (તમામ તસવીરો: પીટીઆઈ)
03 November, 2023 03:05 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.