Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મૉલદીવ્ઝ જનારા ભારતીયોની સંખ્યામાં ધરખમ ઘટાડો

મૉલદીવ્ઝ જનારા ભારતીયોની સંખ્યામાં ધરખમ ઘટાડો

05 May, 2024 02:11 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૩ના જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિનામાં ૧૭,૬૯૧ ચાઇનીઝ ટૂરિસ્ટો મૉલદીવ્ઝ ગયા હતા

મૉલદીવ્ઝ

લાઇફમસાલા

મૉલદીવ્ઝ


ભારત અને મૉલદીવ્ઝ વચ્ચે આ વર્ષની શરૂઆતમાં થયેલા રાજકીય વિવાદ બાદ હિન્દી મહાસાગરના આ ટાપુ પર જનારા ભારતીય ટૂરિસ્ટોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. નવાઈની વાત એ છે કે ચાઇનીઝ ટૂરિસ્ટોની સંખ્યામાં ૨૮૧ ટકાનો વધારો થયો છે.

મૉલદીવ્ઝના ટૂરિસ્ટ વિભાગના આંકડા અનુસાર ૨૦૨૪ના જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનામાં કુલ ૩૪,૮૪૭ ભારતીય ટૂરિસ્ટોએ મૉલદીવ્ઝની મુલાકાત લીધી હતી જે ૨૦૨૩ના આ સમયગાળાના ૫૬,૨૦૮ પ્રવાસીઓની સંખ્યાની તુલનામાં ૩૮ ટકાનો ઘટાડો દર્શાવે છે.



બીજી તરફ ૨૦૨૩ના જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિનામાં ૧૭,૬૯૧ ચાઇનીઝ ટૂરિસ્ટો મૉલદીવ્ઝ ગયા હતા અને ૨૦૨૪માં આ આંકડો ૨૮૧ ટકા વધીને ૬૭,૩૯૯ ટૂરિસ્ટનો થયો હતો. આમ લેટેસ્ટ આંકડા અનુસાર મૉલદીવ્ઝમાં આવનારા ટૉપ ૧૦ ટૂરિસ્ટ અરાઇવલમાં ભારતનો ક્રમ હવે છઠ્ઠો થયો છે અને ચીન નંબર વન પર પહોંચી ગયું છે અને કુલ અરાઇવલમાં એનો હિસ્સો ૧૧ ટકા થયો છે.
૨૦૧૮માં એક લાખ અને ૨૦૧૯માં ૧.૬ લાખ ભારતીયોએ મૉલદીવ્ઝની મુલાકાત લીધી હતી. કોવિડ બાદ ૨૦૨૧માં ૨.૯૧ લાખ ભારતીય ટૂરિસ્ટોએ આ ટાપુ દેશની મુલાકાત લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 02:11 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK