૨૦૨૩ના જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિનામાં ૧૭,૬૯૧ ચાઇનીઝ ટૂરિસ્ટો મૉલદીવ્ઝ ગયા હતા
લાઇફમસાલા
મૉલદીવ્ઝ
ભારત અને મૉલદીવ્ઝ વચ્ચે આ વર્ષની શરૂઆતમાં થયેલા રાજકીય વિવાદ બાદ હિન્દી મહાસાગરના આ ટાપુ પર જનારા ભારતીય ટૂરિસ્ટોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. નવાઈની વાત એ છે કે ચાઇનીઝ ટૂરિસ્ટોની સંખ્યામાં ૨૮૧ ટકાનો વધારો થયો છે.
મૉલદીવ્ઝના ટૂરિસ્ટ વિભાગના આંકડા અનુસાર ૨૦૨૪ના જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનામાં કુલ ૩૪,૮૪૭ ભારતીય ટૂરિસ્ટોએ મૉલદીવ્ઝની મુલાકાત લીધી હતી જે ૨૦૨૩ના આ સમયગાળાના ૫૬,૨૦૮ પ્રવાસીઓની સંખ્યાની તુલનામાં ૩૮ ટકાનો ઘટાડો દર્શાવે છે.
ADVERTISEMENT
બીજી તરફ ૨૦૨૩ના જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિનામાં ૧૭,૬૯૧ ચાઇનીઝ ટૂરિસ્ટો મૉલદીવ્ઝ ગયા હતા અને ૨૦૨૪માં આ આંકડો ૨૮૧ ટકા વધીને ૬૭,૩૯૯ ટૂરિસ્ટનો થયો હતો. આમ લેટેસ્ટ આંકડા અનુસાર મૉલદીવ્ઝમાં આવનારા ટૉપ ૧૦ ટૂરિસ્ટ અરાઇવલમાં ભારતનો ક્રમ હવે છઠ્ઠો થયો છે અને ચીન નંબર વન પર પહોંચી ગયું છે અને કુલ અરાઇવલમાં એનો હિસ્સો ૧૧ ટકા થયો છે.
૨૦૧૮માં એક લાખ અને ૨૦૧૯માં ૧.૬ લાખ ભારતીયોએ મૉલદીવ્ઝની મુલાકાત લીધી હતી. કોવિડ બાદ ૨૦૨૧માં ૨.૯૧ લાખ ભારતીય ટૂરિસ્ટોએ આ ટાપુ દેશની મુલાકાત લીધી હતી.