સામાન્ય રીતે નાઇટ વિઝનની તકલીફની તપાસ બ્લડ-ટેસ્ટથી થાય છે, પરંતુ બ્લડ-સૅમ્પલ લીધા વગર ટેસ્ટ થઈ શકે એ માટે શોધાઈ નવી ટેક્નિક
ધોળા દિવસે તારા બતાવી’ને રતાંધળાપણાનું નિદાન
સામાન્ય રીતે રતાંધળાપણાની તપાસ બ્લડ-ટેસ્ટથી થાય છે, પરંતુ હવે એને માટે નવી ટેક્નિક શોધાઈ છે. અમદાવાદના ડૉક્ટર પિતા ડૉ. રાજેશ મહેતા અને એન્જિનિયર પુત્ર પૂર્ણ મહેતાએ નાઇટ બ્લાઇન્ડનેસ ડિટેક્ટર મશીન વિકસાવ્યું છે અને એનાથી ‘ધોળા દિવસે તારા બતાવી’ને રતાંધળાપણાનું નિદાન કરવામાં આવે છે.



